ડાકોર પદયાત્રા ૯ માર્ચથી: સ્વચ્છતા જળવાય તે માટે CCTV: પ્લાસ્ટિક પર પ્રતિબંધ

પ્રતિકાત્મક
ભકિતપથ પર રપ૦થી વધુ સંસ્થા અને ગ્રુપ સેવા આપશે
(એજન્સી)અમદાવાદ, હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર વર્ષે જતાં હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષેપણ ૯મી માર્ચથી ભકતોની સાથે વિવિધ પગપાળા સંઘો પર પદયાત્રા શરૂ કરશે. ડાકોરના રૂટ પર પદયાત્રીઓ માટે વિવિધ સંસ્થાઓ અને સામાજીક લોકો દ્વારા સ્થળ અને હરતા ફરતા પણ સેવા આપતાં હોય છે.
આ વર્ષે રપ૦થી વધુ કેમ્પ ડાકોર રૂટ પર જોવા મળશે. ગત વર્ષે ર૦૦ જેટલી સંસ્થાઓ દ્વારા નાના મોટા કેમ્પ યોજીને પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યો કર્યા હતા. હહાલમાં જ ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમીતીની મીટીગ કનીજ પાટીયા ખાતેના રણછોડરાયજી મંદીર કેમ્પ લગાવવાની સાથે ભંડારાની વ્યવસ્થા ઉભી કરતા આયોજકો હાજર રહયા હતા.
કમીટીના અધ્યક્ષ હરીન પાઠકે જણાવ્યુંં કે, જેમાં પદયાત્રીઓ માટે થનાર ભંડારા સાથે વિવિધ કેમ્પોનો વ્યવસ્થાનો પર ચર્ચા કરાઈ હતી. ડાકોર માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ સુચનાથી સાથે સીસીટીવી કેમેરાથી નજર રાખવાની વ્યવસ્થા કરાશે. ગત વૃષે કેળાના છાલથી પદયાત્રીઓ પડી જવાના બનાવી બન્યા હતા.
જેને પગલે આ વર્ષે છાલવાળા ફળ જેવા કે કેળા મોસંબી, નારંગીના વિતરણની સાથે પ્લાસ્ટીકનો ઉપયોગ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો છે. વિવિધ સેવાકીય કાર્યોની પરવાનગી આપવા માટે ૪ અને પ માર્ચે કનીજ રણછોડ મંદીરે વાહન માલીકની સંમતી આરસી બુક, વીમાની કોપી, પીયુસી અને લાયસન્સ પુરાવા તરીકે લાવવાના રહેશે.
આ સાથે આગ જેવી ફાયર સેફટીની વ્યવસ્થા પણ ઉભી કરાશે.શકિતપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભકત મંડળના પ્રમુખ અતુલ પટેલ જણાવ્યું કે દર વર્ષે ડાકોર પદયાત્રીકોને સેવા માટે ડાકોર રૂટના માર્ગ પર ર૦૦ જેટલા કેમપ લાગતા હોય છે.
જેમાં ભંડારાની સાથે નાસ્તા અને માલીશ સહીતના કેમ્પ પણ વિવિધ સંસ્થાઓને અને સામાજીક આગેવાનો દ્વારા સેવાકીય કાર્યો કરતા હોય છે. આ વર્ષે કેમ્પોનો વધારો થયો છે. ડાકોર સુધીના રૂટ પર આ વર્ષે રપ૦થી વધુ કેમ્પ જોવા મળશે.