Western Times News

Gujarati News

ચક્કર મટી ગયા પછી પણ આ લક્ષણો ચાલુ રહે છે? તો કરો આ ઉપાય

આ તકલીફના લક્ષણોમાં ખાસ કરીને માથું અથવા શરીર ચક્કર ચક્કર ભ્રમતું જણાય છે. બહેરાશ જણાય છે. આંખનો ડોળો ફરતો હોય તેવું જણાય છે. પડખું ફેરવતી વખતે આંખની જ્યોત ધ્રૂજતી જણાય છે. ચક્કર મટી ગયા પછી પણ આ લક્ષણ ચાલુ રહે છે.

ચક્કર એક સેકન્ડથી માંડીને કલાકો સુધી રહે છે.ચક્કર રોજ આવી શકે છે અથવા વર્ષમાં એકાદ-બે વખત પણ થાય છે. શું તમને માથું ફરતું હલતું ખસતું હોય તેવું જણાય છે? આરામની સ્થિતિમાં પણ આવો જ અનુભવ જણાય છે?જો હા હોયતોઆ ચક્કર ના લક્ષણ છે.ચક્કર અસામાન્ય ક્ષોભ પેદા કરનારી પરિસ્થિતિ છે.

ચક્કર આવવાના કારણોમાં માથાની ઇજા હોઇ શકે. મેનીયર્સ ડીસીઝને લીધે પણ ચક્કર આવે છે. એમાં કાનની અંદરની શ્ર્‌લેષ્મકલા વધુ પડતાં ફ્‌લુઇડ (પ્રવાહી)ના દબાણને લીધે પહોળી થાય છે.જેને લીધે ઇસ્ચેમીયા થાય છે. ઇસ્ચેમીયામાં લોહી પૂરતા પ્રમાણમાં ન મળવાથી કાનની સાંભળવાની અને કાનની અંદરનું સમતોલપણું જાળવી રાખવાની ક્રિયા ખોરવાઇ જાય છે.આમ,સાંભળવાની ક્રિયામાં વધઘટ થતી જણાય છે.ટીનીટસ થાય.

ટીનીટસ એટલે કે કાનમાં ગણગણાટ, ગુંજારવ, ઘબઘબ ઠોકાતું હોય તેવો મોટો અવાજ થયા કરે તે.ઘંટ વાગતો હોય તેવો અવાજ કાનમાં સંભળાય છે. સાથોસાથ ચક્કરની તિવ્રતા વધુ અને વારંવાર થતી જણાયછે. લેબરીન્થાઇટીસના રોગમાં કાનમાં બળતરા દાહ જણાયછે.ઊંચા રક્તચાપને લીધે પણ ચક્કર થતા જણાય છે.મગજ તરફ જતી રક્તવાહીનીમાં અવરોધ થવાથી પણ ચક્કર જણાય છે.

મોશન સીકનેશ એટલેકે અમુક વ્યક્તિઓ મોટરમાં,બસમાં કે પ્લેનમાં મુસાફરી કરવાથી અથવાબસમાં કે ગાડીમાં ગતીની વિરુધ્ધ બેસવાથી પણ ચક્કર આવતા જણાય છે. અમુક વ્યક્તિઓમાં વધુ શ્વાસોશ્વાસ હાંફને લીધે પણ ચક્કર આવે છે. માથું સૂવા બસવાની અમુક સ્થિતિમાં હોય અને એ સ્થિતિ બદલાવાથી પોઝીશનલ વર્ટિગો (માથાની સ્થિતિ બદલવાથી થતા ચક્કર) જણાય છે.

વારંવાર ચક્કર આવતા હોય સાથો સાથ વધુ ઉલ્ટી,ઉબકા અને બેહરાશ જણાતી હોય ત્યારે દર્દીએ શાંતીથી સૂઇ જઇને આરામ કરવો.ચક્કરના દર્દીએ આંખકાનમાં થતા ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખવા જોઇએ.તથા બ્લડપ્રેશર અને નીસ્ટેગમસનો ટેસ્ટ પણ કરાવવો જોઇએ.

સુશ્રુત સંહીતામાં આ રોગ પરત્વે મુખ્યત્વે શરીરની ક્ષીણતા અને અધીક શ્રમના કારણે શબ્દ વહન કરનારી નાડીઓમાં વાયુનો ર્પ્કોપ થઇને પ્રાણશક્તિનો નાશ થાય છે ત્યારે બહેરાશ આવે છે.તેવીજ રીતે શ્રવણ નાડીમાં પિત્ત આવવાથી વાયુનો અવરોધ અને વૃધ્ધિ થવાથી શોથ પેદા થાય છે.પરિણામે પોષણ મળતું નથી.આવા તીવ્રજવર ટોક્સિક વર્ટિગો અને આમદોષના દૂષિત પ્રભાવને લીધે વાતદોષમાં એલર્જીક વર્ટિગોમાં લોહી પરિભ્રમણ પૂરતું થતું નથી. તેથી પણ ચક્કર આવે છે.

મારા અભ્યાસકાળ દરમિયાન અકસ્માતથી મને હેડ ઇન્જરી થયેલી.ત્રણ દિવસ બેભાન પણ રહેલ.સારામાં સારા સાયકિયાટ્રીસ્ટની સારવાર ચાલુ કરેલી.ત્રણ દિવસ પછી ભાનમાં આવતા મને ખૂબજ ચક્કર આવવાના શરૂ થયા.કોઇના સહારે કે ટેકાથી જ ચાલી શકાતું.પથારીમાં સૂતી વખતે જમણી બાજુ પડખું ફેરવુંતો જમણી દીવાલ પડતી હોય તેવું લાગે.તે જ રીતે,છત અને પંખો પણ મારા ઉપર પડશે તેવી ભીતી રહેતી.

ચક્કર માટે સારામાં સારી દવા આપવામાં આવતી છતાં ફેર પડતો નહીં.આવા સમયે મારા પિતાશ્રી (તેઓ વૈદ હતા)ના અનુભવના નીચોડે મને દુરાલભા ક્વાથ ચાલુ કરવામાં આવ્યું.

આ ક્વાથનું સેવના એકપણ દિવસ પાડ્‌યા વગર એક મહિના સુધી કર્યું.એક મહીના પછી ચક્કર બિલકુલ મટી ગયા.આ ક્વાથે શું જાદુ કર્યો,એ તો મને ખબર નથી.પણ મને આ વાત હમણાં એટલા માટે યાદ આવી કે આ ઔષધથી મારા સગા બહેન,જેઓને ચક્કરની તક્લીફ હતી,તેમને પણ ચક્કર મટી ગયા. બહેનને સર્વાઇકલ સ્પોંડીલાઇટીશમાં કરોડરજ્જુના ઉપરના ઉપરના ભાગમાં મણકામાં વર્ટેબ્રામાં ઘસારો થવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ થતું હતું. પરિણામે સૂતા પછી બેઠા થવાથી ચક્કર આવતા હતાં.

સૌપ્રથમ રોગીને ઓશીકા વગર સૂવાની,ટ્રેક્શન લેવાની તેમજ સર્વાઇકલ બેલ્ટ ગળા ઉપર બાંધી રાખવાની સલાહ આપી. જુદી જુદી વનસ્પતિઓની પોટલી દ્વારા તેલનો શેકો ચાલુ કર્યા. દુખાવો થતો હોયતો ઓછો કરવા વેદનાહર ટીકડી આપી. ત્યારબાદ આક્વાથ સળંગ પંદર દિવસ ચાલુ કરાવ્યા.

દવાના નિયમિત સેવનથી ચક્કરની તકલીફ મટી ગઇ.અત્યારે તેઓને બીલકુલ ચક્કર આવતા નથી.ચક્કર દૂર કરવા માટેની આયુર્વેદનીઆ દિવ્ય ઔષધીઓનો ઉપયોગ પાશ્ચાત્ય ડૉક્ટરોએ પોતાની પ્રેક્ટીસમાં જરૂર કરવા જેવો છે.દુરાલભા ઘનવટી પણ આ ક્વાથ સાથે આપવાથી ચમત્કારીક પરિણામો જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.