EDIIએ 24માં કૉન્વોકેશનનું આયોજન કર્યું ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમોમાં 74 વિદ્યાર્થીઓ સ્નાતક થયા

અમદાવાદ, 30 મે 2025: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમને 30 મે, 2025ના રોજ પોતાના અમદાવાદ કેમ્પસ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોના 24માં કૉન્વોકેશનનું આયોજન કર્યું હતું. edii ahmedabad 24th convocation
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ. વિજયકુમાર સારસ્વત, સભ્ય – નીતિ આયોગ, પૂર્વ સચિવ – ડીઆરડીઓ અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ઉપસ્થિત રહ્યા. તેમજ શ્રી રાકેશ શર્મા, અધ્યક્ષ – ઇડીઆઈઆઈ તથા મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, આઈડીબીઆઈ બેંક લિમિટેડ; ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ,
ઇડીઆઈઆઈ તેમજ સંસ્થાના ગવર્નિંગ બોર્ડના સન્માનનીય સભ્યો જેમ કે શ્રી રાજેશ આર. ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ; શ્રી રાહુલ ભાવે, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, આઈએફસીઆઈ લિમિટેડ, નવી દિલ્હી અને શ્રી પૂર્ણિમા ભાર્ગવ, સિઝીએમ અને હેડ, લર્નિંગ અને એમ્પ્લોયી એંગેજમેન્ટ, આઈડીબીઆઈ બેંક લિમિટેડ પણ ઉપસ્થિત રહ્યા.
૨૪માં કૉન્વોકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – એન્ટરપ્રેન્યોરશિપ (PGDM-E), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટ (PGDM-IEV) અને ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ હેઠળ કુલ 74 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફર અને સફળતાની ઉજવણી છે, જેઓ હવે વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ઉદ્યોગસાહસિક ભૂમિકાઓ નિભાવવા માટે આગળ વધી રહ્યા છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.
આ વર્ષની સ્નાતક બેચમાં કુલ 74 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – એન્ટરપ્રેન્યોરશિપ (PGDM-E)ના 64, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટ (PGDM-IEV)ના 8 અને ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટના 2 વિદ્યાર્થીઓ ભારતના કુલ 12 રાજ્યોમાંથી આવે છે.
પીજીડીએમ-ઇના 21 વિદ્યાર્થીઓએ પોતાના પાંચ વર્ષના પર્સ્પેક્ટિવ ગ્રોથ પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જ્યારે 43 વિદ્યાર્થીઓએ ડિટેલડ પ્રોજેક્ટ રિપોર્ટ (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ ઇનોવેશન પોલિસી તરફથી ગ્રાન્ટ મંજૂરી પણ મળી છે. જેમાં કેટલાક વ્યવસાયિક ક્ષેત્રોમાં શામેલ છે: વાણિજ્યિક અને રહેણાંક ઉપયોગ માટે નાના પાયે પવન ટર્બાઇન વિકસાવવા; વ્યાવસાયિક જીવનમાં સમય વ્યવસ્થાપનના પડકારોનો સામનો કરવા સોફ્ટવેર તૈયાર કરવું; ઝડપી, સલામત અને વિશ્વસનીય રક્ત ડિલિવરી પ્રણાલીઓ બનાવવી;
રહેણાંક ઇમારતોમાં ડિજિટલ લોકર સ્થાપિત કરવા, જેનાથી કુરિયર એજન્ટોને સુરક્ષિત રીતે પાર્સલ મૂકી શકે અને રહેવાસીઓને મોબાઇલ અલર્ટ દ્વારા કોઈપણ સમયે પાર્સલ પ્રાપ્ત કરી શકે;વધુ સારા ગ્રેડના અયસ્ક મેળવવા માટે કિંમતી જળ સંસાધનોનો ઉપયોગ કર્યા વિના અને સૂકી અને વ્યવહારુ પદ્ધતિઓ દ્વારા આયર્ન ઓરનો લાભ મેળવવો;વિદ્યુત કાર્યક્ષમતા અને વપરાશકર્તા સુવિધામાં વધારો કરતા ઇનોવેટિવ ઉત્પાદનો બનાવવા; અને ઘણી બધી સમકાલીન વ્યવસાયિક તકોને ઓળખી વ્યવહારિક સ્વરૂપ આપવું.
ડૉ. વી.કે. સારસ્વતે કૉન્વોકેશનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને એક પ્રેરણાદાયક ભાષણ દ્વારા ભારતના વિકસતા ઉદ્યોગસાહસિક પરિપ્રેક્ષ્યની ઝલક આપી અને જણાવ્યું કે કેવી રીતે તેમનો ફાળો રાષ્ટ્ર નિર્માણમાં સહાયક બનશે. તેમણે કહ્યું, “અનિશ્ચિતતાઓ વચ્ચે નિર્ણય લેવાની તમારી ક્ષમતા, અધૂરી માહિતીના આધારે યોગ્ય રણનીતિઓ ઘડવી અને બદલતી પરિસ્થિતિઓ અનુસાર પોતાને ઢાળવાની ક્ષમતા—આ બધું જ તમારી દીર્ઘકાલીન સફળતાનો આધારસ્તંભ બનશે. આપણા એકબીજા સાથે જોડાયેલા વૈશ્વિક યુગમાં, વિવિધ સંસ્કૃતિઓ સાથે સંવાદ સાધવો અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.
ભારતની ભાષા, સંસ્કૃતિ અને આર્થિક વૈવિધ્યતા એવા ઉદ્યોગસાહસિકોની માંગ કરે છે, જે તમામ સમુદાયો અને પરિસ્થિતિઓમાં લાગુ પડતાં ઉકેલો શોધી શકે . વૈશ્વિક સહકાર માટે આવશ્યક છે કે આપણે વિવિધ સંસ્કૃતિઓ સાથે અસરકારક રીતે કામ કરવું શીખીએ, અને સાથે સાથે ભારતીય દૃષ્ટિકોણની વિશ્વસનીયતાને જાળવી રાખીએ.
તેમણે આગળ કહ્યું કે, તમે જે પણ ઉકેલો વિકસાવો, જે પણ ઉદ્યોગ શરૂ કરો, જે પણ ઇનોવેશન લાવો, તેનું મૂલ્યાંકન માત્ર વ્યવસાયિક સફળતા પર નહીં, પરંતુ ભારતના સર્વાંગી વિકાસમાં તેના ફાળાની દ્રષ્ટિએ થવું જોઈએ. આજે ભારત એક ઐતિહાસિક સ્થાન પર ઊભું છે, જ્યાં વિકસિત ભારત@2047 – ની કલ્પના એ માત્ર સરકારી યોજના નથી, પણ આપણું સામૂહિક સ્વપ્ન છે, અને તેના નિર્માણમાં તમારા જેવા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા પ્રમુખ રહેશે.”
શ્રી રાકેશ શર્મા, અધ્યક્ષ – ઇડીઆઈઆઈ તથા મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, આઈડીબીઆઈ બેંક લિમિટેડએ કહ્યું, “આ વર્ષે, ઇડીઆઈઆઈએ એપ્રિલમાં તેનો 43મો સ્થાપના દિવસ ઉજવ્યો. ચાર દાયકાની તેની સફરમાં, સંસ્થાએ ઉદ્યોગસાહસિકતાને એક માન્ય શિસ્ત તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે જ્યારે રાષ્ટ્ર ઉત્પાદકતા, સ્પર્ધાત્મકતા અને એકંદર કાર્યક્ષમતા વધારવા માટે ઉદ્યોગસાહસિકતાને એક સાધન તરીકે અપનાવવાની વાત કરે છે, આ વિકાસનું નેતૃત્વ અને મજબૂતીકરણ કરવામાં ઇડીઆઈઆઈ મુખ્ય ભૂમિકા ભજવે છે. સંસ્થાની રાષ્ટ્રવ્યાપી હાજરી વિવિધ વર્ગોમાં ઉદ્યોગસાહસિક વર્તણૂક વિકસાવી રહી છે.”
ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈએ જણાવ્યું “ઇડીઆઈઆઈની સ્થાપના થઈ ત્યારથી, અમે ઇનોવેશન, પ્રામાણિકતા અને પ્રભાવ સાથે નેતૃત્વ કરવા સક્ષમ ઉદ્યોગસાહસિક પ્રતિભાને ઉછેરવા માટે સતત કામ કર્યું છે. ઇડીઆઈઆઈનો સુવ્યવસ્થિત રીતે ડિઝાઇન કરેલો અભ્યાસક્રમ શૈક્ષણિક તીવ્રતા અને વ્યવહારુ અનુભવને જોડે છે,
જે વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ, વ્યૂહાત્મક વિચારસરણી અને નૈતિક નેતૃત્વની ઊંડી સમજ પ્રદાન કરે છે. અમે અમારા વિદ્યાર્થીઓને જે પાંખો આપ્યા છે તેનાથી તેઓ ચોક્કસપણે નવી ઊંચાઈઓ પર ઉડશે. આ ઉડાનને ડૉ. સારસ્વતની હાજરી વધુ પ્રેરણાદાયક બનાવી રહી છે. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે તેમણે અમારા કૉન્વોકેશનમાં હાજરી આપી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું.”
આ કાર્યક્રમનું સમાપન ડૉ. સુનીલ શુક્લા,ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈના આભાર વિદાય સાથે થયો.