માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળરૂપે એન્જિનિયર જવાબદારઃ નીતિન ગડકરી

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, સભાને સંબોધિત કરતી વખતે, નીતિન ગડકરીએ ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો. આ અંગે વાત કરતા તેમણે કહ્યું, આ આપણા માટે સારું નથી કે ભારતમાં આપણે માર્ગ અકસ્માતો સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
દર વર્ષે આપણી પાસે ૪,૮૦,૦૦૦ માર્ગ અકસ્માતો અને ૧,૮૦,૦૦૦ મૃત્યુ થાય છે, જે કદાચ વિશ્વમાં સૌથી વધુ છે. આમાંના ૬૬.૪% મૃત્યુ ૧૮ થી ૪૫ વર્ષની વય જૂથના લોકોના છે અને આના કારણે જીડીપીને નુકસાન થાય છે. જીડીપી ૩%માં ઘટાડો થાય છે. નીતિન ગડકરીએ કહ્યું, ડોક્ટરો, એન્જિનિયરો અને સૌથી અગત્યનું, પ્રતિભાશાળી યુવાનોની ખોટ ખરેખર આપણા દેશ માટે એક મોટી ખોટ છે.
આ તમામ દુર્ઘટનાઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દોષી સિવિલ એન્જિનિયર છે. હું દરેકને દોષ નથી આપતો, પરંતુ ૧૦ વર્ષના અનુભવ પછી, હું આ નિષ્કર્ષ પર આવ્યો છું કે સૌથી વધુ ગુનેગાર તે લોકો છે જેઓ ડીપીઆર અને હજારો પ્રોજેક્ટમાં ભૂલ કરી રહ્યા છે. ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક સમિટ એન્ડ એક્સ્પો (ય્ઇૈંજી)ને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતીના પગલાં સુધારવાની તાતી જરૂર છે.
દેશમાં મોટાભાગના માર્ગ અકસ્માતો લોકોની નાની નાની ભૂલો, ખામીયુક્ત ડીપીઆરને કારણે થાય છે અને તેના માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતું નથી. નીતિન ગડકરીએ માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી તકનીકો અને રિસાયકલ કરી શકાય તેવી બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ભારતમાં રસ્તાઓ પર સાઈનપોસ્ટ અને માર્કિંગ સિસ્ટમ જેવી નાની વસ્તુઓ પણ ખૂબ જ ખરાબ છે. આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે. ભારતમાં સૌથી ખરાબ ગુણવત્તાવાળા ડીપીઆર બનાવવામાં આવે છે.
મને લાગે છે કે માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળભૂત રીતે એન્જિનિયરો જવાબદાર છે. તેથી, મુખ્ય સમસ્યા રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન અને ખામીયુક્ત ડીપીઆર છે.SS1MS