Western Times News

Gujarati News

અનુપમા શોમાં અપરા મહેતાની દીકરી ખુશાલી ઝરીવાલાની એન્ટ્રી

મુંબઈ, અનુપમા સીરિયલને ત્રણ વર્ષ પરા થઈ ગયા છે, અત્યારસુધીમાં તેમા આવેલા ટિ્‌વસ્ટ શ્ ટર્ન્સ સાથે ઘણા નવા એક્ટરની એન્ટ્રી થઈ છે તો કેટલાક જૂના કલાકારોની એક્ઝિટ પણ થઈ છે. હાલમાં શોમાં બે નવા એક્ટર જાેવા મળ્યા, એક તો અપરા મહેતા (માલતી દેવી) અને બીજાે અમન મહેશ્વરી (નકુલ).

હવે માત્ર દર્શકોના દિલ જ નહીં પરંતુ ટીઆરપી ચાર્ટમાં રાજ કરેલા આ પોપ્યુલર શોમાં વધુ એક પાત્રની એન્ટ્રી થવાની છે. જે બીજું કોઈ નહીં પરંતુ એક્ટ્રેસ ખુશાલી ઝરીવાલા ભજવશે, જે રિયલ લાઈફમાં અપરા મહેતાની દીકરી છે. શોમાં તે તેમના જ યંગર વર્ઝનમાં હશે. ખુશાલીને જ્યારે ‘અનુપમા’ની ઓફરનો કોલ આવ્યો ત્યારે અપરાને ખૂબ નવાઈ લાગી હતી.

જાે કે, આ સાથે તેઓ ઉત્સાહિત પણ થયા હતા. અપરા મહેતાએ જણાવ્યું હતું કે ‘હું આ વિશે અવગત નહોતી તેથી તે મારા માટે સંપૂર્ણ રીતે સરપ્રાઈઝ હતી. ખુશાલીએ મને અનુપમા શોમાં રોલ માટે પ્રોડક્શન હાઉસ તરફથી ફોન આવ્યો હોવાનું કહ્યું હતું. શરૂઆતમાં અમે કેવા પ્રકારનો રોલ હશે તે જાણતા નહોતા, પરંતુ બાદમાં જ્યારે મને જાણ થઈ કે તે માલતી દેવીનું યંગર વર્ઝન બનવાની છે ત્યારે હું રોમાંચિત થઈ ગઈ હતી.

ખુશાલી ૧૫ વર્ષની હતી ત્યારથી મારી સાથે થિયેટર કરી રહી છે. તે મારું અને મારા પતિ દર્શન ઝરીવાલાનું સારું મિશ્રણ છે. મારી જેમ ખુશાલીની આંખો વધારે બોલે છે અને મારું યંગર વર્ઝન તેનાથી સારું કોણ ભજવી શકે?. ખુશાલીએ આશરે એક વર્ષ પહેલા ‘વાગલે કી દુનિયા’થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું.

એક્ટિંગ સિવાય તે આતિષ કપાડિયા અને જેડી મજેઠીયાના પ્રોડક્શન હાઉસ સાથે પણ કામ કરી રહી છે. અનુપમા શોમાં પોતાના રોલ વિશે વાત કરતાં ખુશાલીએ કહ્યું હતું કે ‘જ્યારે હું નાની હતી ત્યારે ઘણા લોકોને લાગતું હતું કે, હું મારા પિતા જેવી દેખાડી હતી. પરંતુ હવે ઘણાને લાગે છે કે હું મારા મમ્મી જેવી લાગું છું.

આ રોલ કરીને હું ખુશ છું કારણ કે, આવી તક ભાગ્યે જ મળે છે. શોમાં મમ્મી સાથે મારા કોઈ સીન નથી. પરંતુ શોનો ભાગ બનીને ઉત્સાહિત છું’. અપરાએ ઉમેર્યું હતું ‘તે પહેલાથી જ બીહાઈન્ડ-ધ-સીન માટે ટેવાયેલી છે અને મને ખુશી છે કે તે અનુપમાનો ભાગ બનવા જઈ રહી છે’. અનુપમાના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, માલતી દેવીનો ભૂતકાળ તેમની સામે આવવાનો છે. પોતાના કરિયર માટે તેમણે કેવી રીતે પોતાના નાના દીકરાને છોડી દીધો હતો તેનો ખુલાસો થશે.

બીજી તરફ શાહ હાઉસમાં કાવ્યાનું બેબી શાવર યોજાયું છે. આ દરમિયાન તે અનુપમાને ખૂણામાં લઈ જશે અને તેના ગર્ભમાં રહેલું બાળક વનરાજ શાહનું નહીં પરંતુ પૂર્વ પતિ અનિરુદ્ધ દવેનું હોવાનો ઘટસ્ફોટ કરશે. આ વાત વનરાજ સાંભળી જશે. હકીકત જાણ્યા બાદ વનરાજ કાવ્યા અને તેના બાળકને સ્વીકારે છે કે કેમ તે જાેવાનું રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.