Western Times News

Gujarati News

ફેમિલી મેન ૩ ફેમ અભિનેતા રોહિત બાસફોરનું અવસાન

મુંબઈ, ગુવાહાટીમાં એક ધોધ પાસે તેના મિત્રો સાથે પિકનિક પર ગયેલા રોહિત બાસફોરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તેને અકસ્માત માની રહી છે જ્યારે પરિવારને શંકા છે કે ઝઘડાને કારણે તેની હત્યા કરવામાં આવી છે.

વેબ સિરીઝ ધ ફેમિલી મેન ૩ ના અભિનેતા રોહિત બાસફોર હવે આ દુનિયામાં નથી. રવિવારે ગુવાહાટીમાં એક ધોધ પાસે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. રોહિત તેના મિત્રો સાથે પિકનિક પર ગયો હતો.

તેમના પરિવારનો આરોપ છે કે આ કોઈ અકસ્માત નથી પણ એક કાવતરું છે. તેણે રોહિત સાથેના ઝઘડા વિશે પણ જણાવ્યું છે. પરિવારે જીમના માલિક પર પણ શંકા વ્યક્ત કરી છે જેણે તેમને પિકનિક માટે બોલાવ્યા હતા.એક અહેવાલ મુજબ, રોહિતનો મૃતદેહ ગર્ભંગા ધોધ નજીક મળી આવ્યો હતો.

રોહિત તેના નવ મિત્રો સાથે પિકનિક પર ગયો હતો. અહેવાલો અનુસાર, તે ત્યાંના ધોધમાં પડી ગયો. પોલીસે જણાવ્યું કે આ ઘટના બપોરે ૨ વાગ્યાની આસપાસ બની હતી. પરિવારે જણાવ્યું કે રોહિત બપોરે ૧૨.૩૦ વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો.

પોલીસેજણાવ્યું, “અમને સાંજે ૪ વાગ્યાની આસપાસ માહિતી મળી અને અમે ૪.૩૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા. એસડીઆરએફ ટીમે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ મૃતદેહ બહાર કાઢ્યો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોહિત આકસ્મિક રીતે ધોધમાં પડી ગયો હતો.એક અહેવાલ મુજબ, રોહિતના પરિવારને ષડયંત્રની શંકા છે.

તેણે જણાવ્યું કે રોહિતનો રણજીત બાસફોર, અશોક બાસફોર અને ધરમ બાસફોર સાથે પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો. આરોપ છે કે આ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે જીમના માલિક અમરદીપની ભૂમિકાને પણ શંકાસ્પદ ગણાવી, કારણ કે તેણે તેમને પિકનિક માટે બોલાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.