1 ફેબ્રુઆરીથી ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર

પ્રતિકાત્મક
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
• 01 ફેબ્રુઆરી 2025 થી, ટ્રેન નં. 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી 08.10 કલાકને બદલે 05.35 કલાકે ઉપડશે અને 14.50 કલાકને બદલે 12.20 કલાકે પાલનપુર પહોંચશે.
• 01 ફેબ્રુઆરી, 2025 થી, ટ્રેન નં. 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી 15.40 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને 22.20 કલાકને બદલે 19.50 કલાકે ગાંધીધામ પહોંચશે.
ઉપરોક્ત ફેરફારને કારણે, બધા મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. મુસાફરોને વિંનતી કરવામાં આવે છે કે ટ્રેનોના સંચાલન સમય થી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ અસુવિધા ના થાય.
—