Western Times News

Gujarati News

ગાંધીનગરમાં “Deriving Maximum Impact out of Aadhar” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના પ્રયત્નો હેઠળ, UIDAI રાજ્ય કચેરી ગુજરાત અને DST ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નર્મદા હોલસ્વર્ણિમ સંકુલ-1નવા સચિવાલય ખાતે Deriving Maximum Impact out of Aadhar” વર્કશોપનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ કરતાં વધુ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કેનાગરિકોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી અને તેના લાભ સત્વરે પહોંચાડવા સરકારે આધારને વર્ચ્યુઅલ બનવાની જરૂર છે જેથી નાગરીકોને ઘરે બેઠા માહિતી મળી શકે

આ વર્કશોપમાં ગુજરાત રાજ્ય/ઉત્તર પૂર્વ પ્રદેશના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કેસોની ચર્ચા કરવામાં આવી હતી.  જેવા કે ઇ-ખજાના માટે આધારનો ઉપયોગરાજ્યની પોલીસ માટે ક્ષમતા નિર્માણઆધાર આધારિત ડિજિટલ પેમેન્ટ્સઅને JAM (જન-આધાર-મોબાઇલ) ટ્રિનિટીનો ઉપયોગ કરવા માટે સિસ્ટમને મજબૂત કરવા માટે રોડ મેપની જાણકારી પણ મેળવી હતી.

આ કાર્યક્રમમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર (IAS), વિજ્ઞાન અને તકનીકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર (IAS), અન્‍નનાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અગ્ર સચિવ શ્રી રમેશચંદ મીના (IAS) તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી તુષાર એમ. ધોળકિયા (IAS),  ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તુષાર ભટ્ટ (IAS), ભારત સરકારના DBT મિશનના સંયુક્ત સચિવ શ્રી સૌરભ કુમાર તિવારી, UIDAI રાજ્ય કચેરી ગુજરાતના ડિરેક્ટર શ્રી રાજેશ કુમાર ગુપ્તા અને UIDAI RO મુંબઈના ડી.ડી.જી શ્રી લવકેશ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.