Western Times News

Gujarati News

સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર-જમ્મુતાવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં અને કોચ સંરચનામાં પરિવર્તન

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતીદૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલજમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

1.       ટ્રેન નં. 19411 સાબરમતીદૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકેઉપડશે.

2.       ટ્રેન નં19412 દૌલતપુર ચૌકસાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકેટર્મિનેટ (સમાપ્તથશે.

3.       ટ્રેન નં19223 ગાંધીનગર કેપિટલજમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકેઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમનપ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે.

4.       ટ્રેન નં.19224 જમ્મુતવીગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકેટર્મિનેટ (સમાપ્તથશે ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમનપ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે ટ્રેન ના અન્ય સ્ટેશનો પર  આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે

ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન

1.       ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલવેરાવળ એક્સપ્રેસ 15  મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52  કલાક નો રહેશે ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે

2.       ટ્રેન નંબર 19107 ભાવનગરMCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન– પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

કોચ સંરચનામાં પરિવર્તન

• ટ્રેન નં22957/22958 ગાંધીનગર કેપિટલવેરાવળગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના કોચએસી 3-ટાયરના કોચસ્લીપર ક્લાસના કોચજનરલ ક્લાસના કોચ અને કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે.

 

ટ્રેનોના સંચાલન સમયસ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.