Western Times News

Gujarati News

ગોતામાં ૧૧ મેએ ગાયત્રી યજ્ઞ, મહામૃત્યુંજય મંત્રોચ્ચાર કરાશે

પ્રતિકાત્મક

(એજસી)અમદાવાદ, ગોતા ખાતે આવેલ શ્રી વિષ્ણુધારા ક્રોસ રોડ ફલેટ, શાયોના ગ્રીન સામે, વોડાફોન ટાવર પાછળ તા.૧૧ રવિવારે સવારે ૮ઃ૩૦થી ૧રઃ૩૦ દરમિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં એક સાથ એક એક દિવસે લાખો ઘરોમાં પરમવંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ એવં અખંડદિપ શતાબ્દી વર્ષના પાવન અવસર પર ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન અંતર્ગત પ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

નારાણપુરાના ગાયત્રી પરિવાર પરિજનો તથા યજ્ઞ કાર્યભાર મનોજભાઈ ત્રિવેદીના સહયોગમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર ફલેટના રહીશોના હિતાર્થે ગાયત્રી મંત્રોચ્ચાર, મહામૃત્યુંજ્ય મંત્રોચ્ચાર સાથે ઔષધિ યુક્ત હવન દ્રવ્યની આહુતિઓ શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરી પર્યાવરણ શુદ્ધિકરણ, ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વના ઉદય હેતુ આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગાયત્રી પરિવાર સંસ્થા દ્વારા ગોતા વિસ્તારમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.