બગસરા નજીક બસ વીજળીના થાંભલા સાથે અથડાઇ
બગસરા-મોટા મુંજીયાસર રોડ પર પરશુરામ મંદિર પાસે એસટી બસ વીજપોલ સાથે અથડાતા મુસાફરોના જીવ ઉંચા થઈ ગયા હતા. બગસરા ડેપોની જૂનાગઢ-મહુવા એસ.ટી.બસ પરશુરામ મંદિર પાસે વળાંકમાં ડ્રાઈવરે બ્રેક મારતા બસના પાછળના ટાયર ચોંટી જતા ડ્રાઈવરે બસને કાબુમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો
પરંતુ બ્રેક ન લાગતા બસ વીજપોલ સાથે અથડાઈ હતી. બસ અથડાવાથી વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો. જા કે સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતની જાણ થતા એસ.ટી.વિભાગ, પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.