Western Times News

Gujarati News

એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ, નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજયપાલ

લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની. સફર અવિસ્મરણીય બનીઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત

(એજન્સી)અમદાવાદ, રાજયપાલ આચાર્ય દેવવ્રતને આણંદ કૃષિ યુનિવસીટીમાં આત્મા પ્રોજેકટ અને આણંદકૃષિ યુનિવસીટીના સંયુકત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરીસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલરૂપે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીની એસ.ટી. બસ દ્વારા સામાન્ય નાગરીકોની સાથે મુસાફરી કરીને આણંદ પહોચ્યા હતા.

આ મુસાફરી માટે રાજયપાલે ઓનલાઈન એડવાન્સ બુકીગ દ્વારા નોન એસી સુપર ડીલક્ષ શ્રેણીની એસ.ટી. બસમાં ત્રણ ટીકીટ બુક કરાવી હતી. આ બસ વિસનગરથી આણંદ સુધીની સામાન્ય બસ હતી. રવીવાર સવારે ૭.ર૦ વાગે રાજયપાલ આચાર્ય દેવવ્રત કોઈ પુર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર એસ.ટી.ડેપો પહોચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરોની સાથે આ બસમાં બેઠા હતા.

બસ નિર્ધારીત રૂટ અને સ્ટોપેજ મુજબ અમદાવાદના રાણીપ, ગીતામંદીર વગેરે થઈને આગળ વધતી રહી અને સવારે ૧૦.૧ર કલાકે રાજયપાલ આણંદ એસ.ટી. બસ સ્ટેશન પર ઉતર્યા હતા.

આ સહજ અને સાદગીભરી યાત્રાને અનુભવ જણાવતાં રાજયપાલ કહયું કે, લાં સમયથી મારી ખુબ ઈચ્છા હતી કે એક દીવસ હું ગુજરાત રોડવેઝની સામાન્ય બસમાં સામાન્ય નાગરીકો સાથે મુસાફરી કરૂ આજે સવારે ૭.ર૦ વાગે ગાંધીનગરથી નીકળી અને આશરે ૧૦.૧પ વાગગે આણંદ પહોચ્યો. આ યાત્રા દરમ્યાન રાજયા વિવિધ વિસ્તારોમાં ભાઈ-બહેનો સાથે મુલાકાત અને વાતચીતનો અવસર મળ્યો. મારા માટે પણ આ યાત્રા અત્યંત સુખદ અને યાદગાર રહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.