રાજકોટના ડોકટર કોરોના પોઝિટીવ : વડોદરામાં નવા ૬ કેસ કન્ફર્મ થયા

રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પ૦૮ઃ અમદાવાદમાં નવા ૭૦ કેસ નોંધાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા કેસની સંખ્યા ૬૦ કે તેથી વધુ આવી રહી છે જે ચિંતાજનક બાબત માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૭૦ કેસ નોંધાયા છે
આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૭૧ થઈ છે જે પૈકી ૩ર૦ એક્ટિવ કેસ છે. શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૦ કરતા વધારે છે. જયારે રાજયમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૧૧૯ કેસ નોંધાયા છે ૪ જુનની સાંજ સુધી એક્ટિવ કેસની સંખ્યા પ૦૮ થઈ છે. રાજય સરકારે પણ તમામ મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને કોરોના મામલે સાવચેતીના પગલાં લેવા આદેશ આપ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે શહેરમાં અત્યાર સુધી કોરોનાના કારણે ૩ મહિલા દર્દીના મૃત્યુ થયા છે જયારે કુલ કેસની સંખ્યા ૪૭૧ થઈ છે જે પૈકી ૧૪૯ દર્દીઓ સાજા થઈ જતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે એક્ટિવ કેસની સંખ્યા ૩ર૦ છે. શહેરમાં એક્ટિવ કેસના દર્દીઓ પૈકી મહત્તમ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં છે
ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૦૭ થઈ છે જયારે ઉત્તર પશ્ચિમમાં ૯૪ છે. મધ્યઝોનમાં કોરોના નિયંત્રણમાં છે જયારે એક્ટિવ દર્દીની સંખ્યા માત્ર ૬ છે કોરોનાના ૪૭૧ કેસ પૈકી ૧૪૯ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જે પૈકી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધે ૧૮, સરકારી હોસ્પિટલમાં ૧૬ અને હોમઆઈસોલેટ ૧૧પ દર્દીઓ સાજા થઈ ગયા છે.
રાજય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા મહાનગરપાલીકાઓને સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત આઈસોલેશન બેડ વધારવા, માસ્કનો ઉપયોગ કરવા તથા એક સ્થળે વધુ લોકો એકત્રિત ન થાય તેની તકેદારી રાખવા પણ રાખવા સુચના આપવામાં આવી છે.
રાજયમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટર પણ કોરોનાથી સક્રમિત થયા છે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન નવા ૦૭ કેસ કન્ફર્મ થયા છે જેની સામે ૭ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના ૬૮ કેસ નોંધાયા છે
જેની સામે રપ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં કોરોનાના ૬ પોઝીટીવ કેસ આવ્યા છે આ કેસ રામદેવનગર, છાણી, દિવાળીપુરા, ભાયલી વગેરે વિસ્તારમાંથી નોંધાયા છે. કોરોનાના કેસમાં ગુજરાત ત્રીજા નંબરે છે. સૌથી વધુ કેસ કેરળમાં ૧૩૭૩ નોંધાયા છે જયારે મહારાષ્ટ્રમાં પ૧૦ એક્ટિવ કેસ છે જે પૈકી ૧૬ નવા કેસ છે. જયારે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પ૦૮ છે અને દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા ૪પ૭ છે.