Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી

(એજન્સી)ગાંધીનગર, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું ૮૭.૭૭ ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થિનીઓએ ૯૫.૨૩ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓનું ૯૦.૭૮ ટકા પરિણામ આવ્યું હતું.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭ ટકા પરિણામ જાહેર કરાયું છે. ૩,૬૨,૫૦૬ પરિક્ષાર્થીઓ પૈકી ૩,૩૭,૩૮૭ વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિધાર્થીઓનું ૯૦.૭૮ ટકા અને વિધાર્થીનીઓનું ૯૫.૨૩ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે ૧.૧૪ ટકા પરિણામ વધુ આવ્યું છે. ૨૦૦૫ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યુ છે.

જ્યારે ૨૧ શાળાઓએ એવી છે જેણે ૧૦ ટકા કરતા પણ ઓછુ પરિણામ હાંસલ કર્યુ છે. નિયમિત વિદ્યાર્થીઓમાં ૯૦.૭૮ ટકા છોકરાઓ અને ૯૫.૨૩ ટકા છોકરીઓ ઉતિર્ણ થઇ છે. સામાન્ય પ્રવાહમાં છ૧ ગ્રેડમાં ૫૬૫૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે છ૨ ગ્રેડમાં ૪૦,૦૧૮ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. બી-૧ ગ્રેડમાં ૭૭૯૫૪ વિદ્યાર્થીઓ, બી-ર ગ્રેડમાં ૯૫,૩૮૬ વિદ્યાર્થીઓ સી-૧ ગ્રેડમાં ૭૯૨૩૧ વિદ્યાર્થીઓ સી-ર ગ્રેડમાં ૩૩૫૫૩ વિદ્યાર્થીઓ જ્યારે ડી ગ્રેડમાં ૨૪૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા.

વડોદરા શહેર જિલ્લાનું ધો.૧૨ વિ.પ્ર.નું ૮૨.૨૦ ટકા પરિણામ
(એજન્સી)વડોદરા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૨૦ ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૭ ટકા પરિણામ આવ્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા શહેર જિલ્લાના ૫૮૯૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૪૮૪૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૧૦૬૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષના પરિણામમાં ૦.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં વડોદરા શહેર જિલ્લાનું ૮૭ ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી ઓછું છે.

આમ છતા સમગ્ર રાજ્યનું પરિણામ વધારે આવ્યું હોવાથી વડોદરાનું આ છેલ્લા આઠ વર્ષોમાં સૌથી વધારે પરિણામ છે. વડોદરામાંથી ૧૪૬૮૪ નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૧૨૮૮૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૧૮૩૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ ૯૬ ટકા પરિણામ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતી માધ્યમ ૮૩.૭૭ ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ ૮૩.૪૯ ટકા જાહેર થયું છે.

જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ક્્યાંક ખુશી તો ક્્યાંક ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગોંડલ કેન્દ્ર ૯૬ ટકા પરિણામ સાથે સૌ પ્રથમ નંબરે છે, તો મોરબી જિલ્લો ૯૨ ટકા સાથે પ્રથમ નંબરે છે. દાહોદ ૫૪ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે.

૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૭ ટકા જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા ૯૭.૨ ટકા સાથે સૌથી પ્રથમ સ્થાને છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૯૪ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. તે સિવાય ૩૪ સ્કૂલનું ૧૦ ટકાથી ઓછું પરિણામ આવ્યું હતું.ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૩૧ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળ્યો હતો જ્યારે ૮,૦૮૩ વિદ્યાર્થીને એ-ર ગ્રેડ મળ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.