Western Times News

Gujarati News

હાલોલ તાલુકાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી અનઅધિકૃત જથ્થો સીઝ કરાયો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ દ્વારા જિલ્લામાં વ્યાજબી ભાવે અનાજ મેળવતાં લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પુરેપુરો મળી રહે તથા તેમાં કોઈ ગેરરીતિ ના થાય તે હેતુથી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ. ભાર્ગવ ડાંગર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની સતત અને સઘન તપાસની કામગીરી કરવામાં આવે છે.

જે અન્વયે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા હાલોલ તાલુકામાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાભાર્થીને કુપન ન આપવી, અનાજના જથ્થાની પુરતી જાળવણી ન કરવી, ભાવ-જથ્થાના બોર્ડ ન નિભાવવા તેમજ કે.એન.શેઠ સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી રૂપિયા ૧૪,૯૪૮

જેટલી રકમનો તુવેરદાળનો જથ્થો તથા વી.સી.મકવાણા સંચાલિત વ્યાજબી ભાવની દુકાનમાંથી રૂપિયા ૧૮,૭૩૩ જેટલી રકમનો ઘઉં, ચોખા અને તેલનો જથ્થો મળી કુલ રૂપિયા ૩૩,૬૮૧ જેટલી રકમનો અનઅધિકૃત જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ગેરરીતિ અન્વયે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા અનઅધિકૃત જથ્થાને સીઝ કરી બંને દુકાનદારો કે.એન.શેઠ અને વી.સી.મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.