Western Times News

Gujarati News

મેડિક્લેમ પાસ કરવામાં હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ આનાકાની નહીં કરી શકે

નવી દિલ્હી, આગામી દિવસોમાં હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જાે દર્દી ૨૪ કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય તો પણ મેડિક્લેમના દાવાને નકારી શકશે નહીં. હાલમાં વીમા કંપનીઓ ત્યારે જ મેડિક્લેમ આપે છે જ્યારે દર્દીને ૨૪ કલાકથી વધુ સમય માટે સર્જરી અથવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

પરંતુ આ નિયમમાં ફેરફાર થવાની શક્યતાઓ છે અને સરકારે આ અંગે વીમા ક્ષેત્રના નિયમનકાર આઈઆરડીએઆઈ સાથે વાતચીત શરૂ કરી છે. એનસીડીઆરસીના પ્રમુખ અમેશ્વર પ્રસાપ શાહીએ તાજેતરમાં મેડિક્લેમનો લાભ મેળવવા માટે ૨૪ કલાક હોસ્પિટલમાં દાખલ થવાના નિયમની સમીક્ષા કરવા પર ભાર મૂક્યો છે.

તેમણે કહ્યું કે આજના બદલાતા સમયમાં મેડિકલ ટ્રીટમેન્ટ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે સારવાર અને સર્જરી થોડા કલાકોમાં જ પૂરી કરી શકાય છે. તેમણે કહ્યું કે જાે હોસ્પિટલમાં દાખલ દર્દી ૨૪ કલાકથી ઓછા સમય માટે હોય તો દાવાઓ સ્વીકારવામાં આવતા નથી. તેમણે કહ્યું કે હવે ઘણા પ્રકારની સારવાર છે જે ૨૪ કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે છે.

તેથી સ્વાસ્થ્ય વીમા કંપનીઓએ આ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે પણ કહ્યું છે કે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આઈઆરડીએઆઈ અને નાણાકીય સેવાઓ વિભાગને આનો ઉકેલ શોધવા માટે કહેવામાં આવશે.

તાજેતરમાં પંજાબ અને કેરળની જિલ્લા ગ્રાહક સમિતિઓએ તબીબી વીમા દાવાઓ અંગે ઐતિહાસિક આદેશ પસાર કર્યો છે.

ફિરોઝપુરના જિલ્લા ગ્રાહક આયોગે ૨૪ કલાક માટે પ્રવેશને ખોટી રીતે ટાંકીને તબીબી દાવાઓને નકારવા માટે આરોગ્ય વીમા કંપનીને જવાબદાર ગણાવી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.