Western Times News

Gujarati News

મારક રોગોમાં આજે પણ હૃદયરોગ પ્રથમ સ્થાને

શવાસન, પ્રાણાયામ અથવા ડીપબ્રીધ કે ધ્યાન ગમે તેવા હૃદયરોગમાં ફાયદો કરે છે.

દશ મારક રોગોમાં આજે પણ હૃદયયોગ પ્રથમ સ્થાને છે. બીજા રોગો આગળ પાછળ જાય છે. કૅન્સર મારક રોગોમાં નવમું સ્થાન ધરાવતો હતો. તે આજે બીજા સ્થાને આવીને બેસી ગયો છે, પણ હૃદયરોગે પોતાનું એક નંબરનું સ્થાન ક્યારેય ગુમાવ્યું નથી. અહીં એક વાત ભારપૂર્વક કહેવા માગું છું હૃદયરોગ એટલે કોઈપણ કારણથી થયેલ હૃદયરોગ. મહર્ષિ ચરક હૃદયરોગને  વાતજ, પિતજ, કફજ, ત્રિદોષ જ અને કૃમિ જ હૃદયરોગ એમ પાંચ પ્રકાર કહે છે.

આજે જાેવા મળતા હાર્ટ એટેક ના દર્દીઓમાં દર્દીને છાતી માં તીવ્ર દુખાવો થઇ ને ડાબી બાજુ હાથ, ગળું, પીઠ અને પેટ માં હૃદય તરફ ની બાજુ  દુખાવો થાય છે, આરામ પણ ન કરી શકે,  છાતી માં બળતરા અને ઉલટી થઇ આવે, પરસેવો ખુબ થાય અને બીપી એકદમ ઘટી જાય, હૃદય ના ધબકારા વધી જાય છે. ઘણા હૃદયરોગના હુમલાને પણ હૃદયરોગમાં ખપાવી નાખે છે. હૃદયરોગનો હુમલો મુખ્યત્વે એક જ કારણથી આવે છે.

જેમાં હૃદયને લોહી આપનાર નળીઓ હાર્દિકી ધમનીઓમાં અવરોધ, કોરોનરી આર્ટરી ડીસીઝ થતાં હૃદયરોગનો હુમલો આવે છે. આ હુમલો હૃદયરોગમાં ફેરવાય ખરો અને ન પણ ફેરવાય. જાે આ હુમલાને કારણે હૃદયની કોઈ દિવાલને નુકસાન થાય તો ત્યારબાદ રોગી, હૃદયરોગી કહેવાય છે. અહીં બીજું એટલું જ રસપ્રદ તારણ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં જે રોગોમાં નામ જે તે રચનાત્મક વિકૃત ઓર્ગેનિક ડીસઓર્ડર સમજવામાં આવે છે.

દા.ત. હૃદયરોગ એટલે હૃદયની દિવાલો, વાલ્વ કે ધમનીઓમાં જાેવા મળતી ખરાબી. શિરોરોગ મગજ, તેનાં અંગોપાંગ , ધમનીઓની રચનાત્મક વિકૃતિ સમજવામાં આવી હા, હૃદયરોગના એટેકમાં જાે હૃદયને નુકસાન થયું હોય, તો પછી તે નુકસાન કેટલું છે તેના આધારે યોગાસન અને ચાલવા જેવી કસરતો ગોઠવવી પડે. હા, શવાસન, પ્રાણાયામ અથવા ડીપબ્રીધ કે ધ્યાન ગમે તેવા હૃદયરોગમાં ફાયદો કરે છે.

હૃદયમાં લોહી નું વહન કરનારી ધમની કે જે હૃદયમાંથી બહાર નીકળે છે તે હૃદય ની દીવાલો, મગજ અને આખા શરીર માં શુધ્ધ લોહી પૂરું પાડે છે તે ધમની જે હૃદય ની દીવાલો ને લોહી પૂરું પાડે છે તેમાં બ્લોકેજ થવાથી હ્રદય નો દુઃખાવો થાય છે જેને કોરોનરી થ્રોમ્બોસીસ  કહે છે તથા હૃદય માં જયારે તીવ્ર દુખાવો થાય છે – સોંય ભોંક્યા જેવી પીડા થાય છે તેને માયોકાર્ડીઅલ ઇન્ફાર્ક્‌શન કહે છે જેને આયુર્વેદ દ્રષ્ટિ એ કૃમિ જ હૃદય રોગ કહી શકાય.

હાર્ટ એટેકમાં બહુ નુકસાન ન થયું હોય, થોડું નુકસાન થયું હોય, કે સહેજ પણ નુકસાન થયું ન હોય ત્યાર પછીના એટેકને રોકવો એ તમારું મુખ્ય કામ છે. આ માટે પણ આહાર-વિહાર અને ઔષધ ખૂબ જ જરૂરી છે. આહારઃ-જાે શરીરમાં ચરબી સારા પ્રમાણમાં હોય તો બાફેલાં શાકભાજી, તલના તેલમાં વઘારેલાં શાકભાજી લેવાં જાેઈએ. બાકીના બધાં તેલ ચરબી વધારશે, અથવા હૃદયને ફાયદાકારક અને નુકસાનકર્તા બંને પોલી અને અનસેચ્યુરેટેડ ફેટ ને ઘટાડે છે .

જે છેલ્લે બહુજ નુકસાનકારક ગણાય છે. અમ્લરસ હૃદયને હિતકારી છે. માટે વધુ વજનવાળાએ થોડા ગરમ પાણી અને તેમાં લીંબુનાં ટીપાં નાખી લેવાં જાેઈએ. માઈલ્ડ લીંબુનું સરબત ચાલે. મોળી છાસ ચાલે, ગાયનું ઘી ૧૦ ગ્રામ જેટલું રોટલીમાં ચોપડી શકાય-લગાવી શકાય આંબળાનો રસ જાે ૠતુ હોય તો, એકાદ કણ મીઠું અને મધ મેળવી લેવું સારું. ટૂંકમાં થોડા પ્રમાણમાં ખટમીઠ્ઠાં ફળોનો રસ જમ્યા પછી, બપોર પછી લઈ શકાય. સવારમાં પલાળેલા, બાફેલા કઠોળ થોડુંક લીંબુ નીચોવીને લઈ શકાય. બપોરે ભૂખ પ્રમાણે દાળભાત, શાક અને સાંજે મલાઈ વગરનું દૂધ, રોટલી, તલનું તેલ નાંખેલી ખીચડી લઈ શકાય

.વિહારઃ- વ્યાયામ-કસરત હૃદયરોગના હુમલા પછી ખરેખર કોઈ નુકસાન ન થયું હોય તો વ્યાયામ-કસરત એ શ્રેષ્ઠ સારવાર છે. આમાં યોગનાં આસન ઉત્તમ છે.. અનુભવ આજે ઘણા તબીબ મિત્રો કહે છે કે, અમને એટેક ની તકલીફ છે ક્યારેક ચાલવા થી શ્વાસ ચડે, છાતી માં દુખાવો થયો હોય તપાસ કરતા ખબર પડે કે હાર્ટ બ્લોકેજ છે, ઓપરેશન ની સલાહ મળે છે ત્યારે અમે પણ અમારી ડીસ્પીરીન જેવી ટીકડી ની સાથે અર્જુન છાલનું ચૂર્ણ પાણી કે દૂધ સાથે સવારે –સાંજે નિયમિત લઈએ છીએ .

તો કેટલાક વર્ષ થઇ ગયા હજુ અમને દુખાવો કે શ્વાસ રોગ થયો નથી, ગભરામણ કે બળતરા કે સોંય ભોંક્યા જેવી વેદના થઇ નથી અને ચાર દાદરા ચડી જઈએ છીએ, અહી એમની ડીસ્પીરીન નો ફાળો ઓછો અને અર્જુન છાલ ના કારણે  વધુ લાભ થયો છે તેવું ચોક્કસ થી સૌ સ્વીકારી રહે છે, આયુર્વેદ માં અર્જુન છાલ  ઉપરાંત ચોક્કસ નિદાન ના આધારે કૃમિ દૂર કરનાર લસણ, ખાખરા નાખી જ , વાવડીંગ, ઇન્દ્રજાવ, કમ્પીલક, આદુ , સુંઠ, હળદર, ત્રિફળા ઉપરાંત હૃદય ને બળ આપનાર પંચગવ્ય, સુવર્ણ, મધ, મરી અને દશમૂલ જેવી અનેક વિવિધ ઔષધીઓ નિષ્ણાત વૈધ અભ્યાસ અને અનુભવ થી આપે છે.

. બાકી એક દાખલો એક બેન મારી પાસે આવ્યા જેમને મૂળ તો સ્તનનું કેન્સર હતું તેની સારવાર ચાલતી હતી. પરંતુ તે સારવારે તો ચમત્કાર સર્જયો. તેને હૃદયરોગમાં વાલ્વ, દિવાલ અને અનિયમિતતા સહિત અનેક ખામીઓ હતી. હૃદયરોગની દવાઓ ચાલુ હોવા છતાં તે જ સ્થિતિ હતી. તે આયુર્વેદની દવા પછી માત્ર એકાદ ખામી રહી. બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું, ડાયાબીટીસ પીપીબીએસ ૨૦૦ એ પહોંચી ગયું. સ્તન કેન્સરમાં ઘણોજ ફાયદો થયો.

હૃદયરોગનાં કારણોને બે વિભાગમાં વહેંચી શકાય. એક કારણ દૂરનાં  કારણો છે.   આયુર્વેદ તેને વિપ્રકૃષ્ટ કારણ કહે છે. અને બીજાં છે નજીકનાં કારણો. આ કારણો સંત્રિકૃષ્ટ કારણો કહેવાય છે. અત્યારનું વિજ્ઞાન દૂરનાં કારણો બતાવતાં કહે જે હૃદયરોગનો હુમલો લાવી – પાછળથી હ્રદયરોગ કરે છે. વ્યવહારમાં જાેવા માટે ઘણાં કારણો બતાવવાનાં છે. જેમકે વધુ પડતું વજન, ધુમ્રપાન, દારૂ, લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોવું, બેઠાડુ જીવન, ચિંતા અને માનસિક તાણ અને ડાયાબીટીસનું હોવું મુખ્ય માનવામાં આવે છે. યાદ રાખો અત્યારના વિજ્ઞાનમાં આ કોઈ કારણો સામૂહિક કારણોને હ્રદયરોગ નું મુખ્ય કારણ ગણવાનું વલણ નથી.

આ બધાં જાેખમી પરિબળો છે– રિસ્ક-ફેક્ટર્સ. આ બધા લોહીની નળીઓ, હૃદયને લોહી પહોંચાડતી નળીઓને ચરબીથી અવરોધે છે. હૃદયરોગનો હુમલો આવી શકે છે.  દૂરનાં કારણોની જેમ આયુર્વેદમાં નજીકનાં કારણો બહુ જ સ્પષ્ટ બતાવ્યાં છે. યાદ રાખો આયુર્વેદ આ કારણો જ ગણે છે, રિસ્ક ફેક્ટર્સ નહીં. હૃદયરોગનો હુમલો આ માત્ર નિષ્ણાત વૈદ્ય ડૉક્ટરનું કામ છે. એટલે તેની સારવાર જાેઈએ કરવી ન જાતે . અહીં, યાદ રાખો માત્ર છાતીનો દુઃખાવો એ હૃદયરોગનો હુમલો નથી. પુષ્કળ પરસેવો થવો શ્વાસ વધી જવો, બહુ જ બેચેની થવી, ઉલ્ટીઓ કે ઝાડા થવા કે હાજત થવી. છાતીની માંસપેશીઓનો દુઃખાવો, ઘણીવાર પેટની ગરબડ વાસ્તવમાં હૃદયરોગ હોય છે. અને છાતીનો દુઃખાવો વાસ્તવમાં તો પેટની ગરબડના કારણે હોઈ શકે.

હૃદયરોગની સારવારઃ આમાં હેમગર્ભ, બૃહત વાત ચિંતામણી, બૃહત, કસ્તુરી, ભૈરવ, હરિતક્યાદિ ચૂર્ણ , અર્જુનારિસ્ટ જેવી ઘણી દવાઓ છે. રોગીનો રોગ પ્રકૃતિ , ૠતુ વગેરે મુખ્યત્વે આ રોગનાં લક્ષણોને અનુરૂપ સારવાર કરવી જાેઈએ. છાતીમાં બહુ દુઃખાવો હોય તો બૃહત વાતચિંતામણી શ્રેષ્ઠ છે. પણ નાડીની અનિયમિતતા સાથે હૃદયરોગની ફરિયાદો , પેશાબ થોડો આવવો, સાંજે પગે સોજા આવવા, જેમાં હેમગર્ભ રસ શ્રેષ્ઠ છે.

આમ રોગની લાક્ષણિકતાને પણ સારવારમાં પ્રાધાન્ય આપવું    જાેઈએ . હૃદયરોગ ના સામાન્ય લક્ષણો – શરીરનો રંગ બદલાઈ જાય, મૂર્છા કે બેભાનપણું થાય , તાવ, ઉધરસ, હેડકી, શ્વાસ, મોઢામાં બેસ્વાદ પણું , વધુ પડતી તરસ લાગે અને અતિશય ગભરામણ થાય, ઉલટી થયા કરે, કફ વારંવાર બહાર નીકળે, હૃદય માં પીડા થાય, બેચેની થાય , કંઈ પણ કામ કરવું ગમે નહિપ આ હૃદય રોગમાં થતા સામાન્ય લક્ષણો છે.

જવાહર મોહરા ઃ ઉત્તમ હાટેટોનીક, મસ્તિક પૌષ્ટિક, હૃદયની કમજાેરી, હાટેએટેક આવવાની શરુઆત કે બાદમાં, નાડીની કમજાેરી, ગભરામણ થવી, રકતદબાણ એકદમ વધી કે ધટી જવું, કમજાેરીથી થોડું ચાલવાથી શ્વાસ ભરાઈ જવો, સ્મરણશકિત ઓછી થવી, નકામા વિચારો આવવા, થોડા વિચારથી મગજ થાકી જવું, વિરોધ થતાં ઉશ્કેરાઈ જવું, ગરમ થવું ગેરે માટે અકસીર દવા..

સુવર્ણ મકરધ્વજવટી ઃ શતગુણ – ઉત્તમ જંતુધ્ન, વિષપભાવ-નાશક, હૃદયને બળ આપનાર, વાણીને સ્થિરને શુદ્ધ કરનાર, પ્રજ્ઞા, વીયે, સ્મરણશકિત અને કાંતિને વધારનાર, ક્ષય, ધાતુક્ષીણતા, જીણેજવર ,ત્રિદોષ જ્ઞાનતંતુની નબળાઈ, વાતવાહિનીઓમાં, ક્ષોભ, ફેફસાની કમજાેરી, પેટના રોગો, પાડું, કમળો, પ્રસૂતિના રોગો માટે અકસીર છે.

સુવણે મકરધ્વજવટી ઃ ષોડ્‌ષગુણ – ઉત્તમ ટોનીક, આંતરડા, ફેફસાં હૃદય, મૂત્રાશય વગેરે અવયવોને શકિત આપે છે અને મગજનાં જ્ઞાનતંતુઓને શકિત આપી યાદશકિત વધારે છે.   આહારઃ પ્રવાહી ખોરાક, સુપાચ્ય ખોરાક, બાફેલો ખોરાક સારો. મીઠાનું પ્રમાણ ઘટાડો અને આયોડાઇઝડ નમકની જગ્યાએ સિંધાલુણ વાપરો. તળેલું, વાસી, વાલ , વટાણા અને મેંદાની આઈટમો સદંતર બંધ કરો. સૂકા નાળિયેરનું પાણી, માઈલ્ડ લીબુંનું પાણી-શરબત, મોળી છાશ આપી શકાય. મગ, મગનું પાણી શ્રેષ્ઠ છે. વિહાર શક્ય તેટલું બ્રહ્મચર્ય પાળો.

હ્રદયના સ્નાયુઓને બળ આપનાર એક પ્રભાવી ટીકડીઃ ઘટક દ્રવ્યો મુક્તપિષ્ટી, પ્રવાલપિષ્ટી, પન્ના પિષ્ટી ,સુવર્ણ ભસ્મ ,શૃંગ ભસ્મ, અંબર, જદવાર, માણેક પિષ્ટી, કેરબા પિષ્ટી, યશદ પિષ્ટી, રૌપ્ય ભસ્મ, કસ્તુરી, અબરેશમ, દરિયાયી નારિયેર માંથી ઉપરોક્ત ટીકડી તયાર થાય છે. આ ઔષધ આયુર્વેદિક દવાઓનો સપ્રમાણ યોગ છે. ઔષધોની સૂક્ષ્મતા અને વિશુદ્ધતા સાથે તેની ઉપયોગીતા અત વિશ્વશનીય છે. મુક્ત, પ્રવાલ અને શૃંગ, હ્‌ર્દયની માંશપેશિયોને શક્તિ આપે છે અને તેની આકુંચન સંકુચનની શક્તિ સમતુલ કરે છે. માણેકપિષ્ટી રક્તવૃદ્ધિમાં આવશ્યક લોહતત્વ પ્રદાન કરે છે.

સુવર્ણ ભસ્મ, કસ્તુરી, અને અંબર દરેક પોતાની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ક્રિયાઓથી હ્‌ર્દય રક્ત સન્સ્થાન અને સ્વશન કેન્દ્રની ક્રિયાઓને બળ પ્રદાન કરે છે . આ ઔષધના અન્ય દ્રવ્યો પણ સ્નાયુ કેન્દ્રની શક્તિ વધારી રક્ત સબંધી અન્ય ક્રિયાઓને વ્યવસ્થિત કરે છે. હ્રદયરોગના હુમલાના શમન પછી આ ટીકડીનું હ્‌ર્દયના સ્નાયુઓને શક્તિ અને બળ પ્રદાન કરવા માટે તેનું સેવન કરવું હિતકારી છે, નાડીની કમજાેરી, હ્‌ર્દયની દુર્બળતા, હ્‌ર્દયના ધબકારા, ગભરાટ, બેચેનીને મટાડે છે. થોડું ચાલવાથી થતા હૃદયશૂળમાં તેમજ ચડતા શ્વાસને મટાડી હ્‌ર્દયની ગતિને સમ્તુલ કરે છે.

માત્રાઃ ૨-૨ ટીકડી દિવસમાં ત્રણ વખત ચિકિત્સકની સલાહ લઈને જ શરુ કરવી,  કરો ન કામ મહેનતનુ બહુ  , તેનું મહત્ત્વ તેમ જ બેઠાડુ ન બની જાઓ. શક્ય હોય તો  ધીમે ધીમે કામ-આરામ, કામ-આરામનું સૂત્ર અપનાવો. દિવસે ઊંધવાનું નહીં. આરામ કરવાનું રાખો. રાત્રે જાગવાનું છોડો અને ખરેખર જાગરણ થયું હોય તો જમ્યા પહેલાં થોડું ઊંઘી લો .. તમારી કહેવાની ભાગ્યે જરૂર છે કે આયુર્વેદમાં ઉંમર, ૠતુ, જાતીય ઈચ્છા, આહાર એમ ઘણી બાબતો પર આધાર રાખે છે. એટલે એ અર્થમાં બ્રહ્મચર્ય પ્રતિદિન જાતીય વ્યવહારો બંધના અર્થમાં નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.