નાપાસ થતાં વિદ્યાર્થીએ કરેલી રિટ હાઇકોર્ટે રદ કરી

અમદાવાદ, જીટીયુ સાથે સંકળાયેલી એપોલો ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીનો બેચલર ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થી નાપાસ જાહેર થતાં તેણે પરિણામ સામે હાઇકોર્ટમાં કરેલી રિટ રદ કરવામાં આવી છે.
અરજદાર વિદ્યાર્થીએ એવો દાવો કર્યાે હતો કે તેણે રિએસેસમેન્ટની ડિમાન્ડ કરી હતી અને એમાં પણ એના કોઇ માર્ક્સ બદલાયા નહોતા. ત્યારબાદ તેણે આગળ પણ કાર્યવાહી કરી હતી અને એવો દાવો કર્યાે હતો કે તેણે કેટલાક સવાલોના જવાબો આપ્યા હોવા છતાંય તેને એના કોઇ પણ માર્ક્સ આપવામાં આવ્યા નહોતા.
જોકે હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે,‘વિષયના નિષ્ણાત દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય ત્યારે અરજદાર વિદ્યાર્થી પ્રત્યે કોઇ પૂર્વાગ્રહ રાખવામાં આવ્યું હોય એવું કોર્ટ માની શકે નહીં.
એટલું જ નહીં અરજદાર વિદ્યાર્થી આન્સર-કી રાખવાનો અધિકાર હોવાનો દાવો પણ કરી શકે નહીં.’ વિદ્યાર્થીએ એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે તે પરીક્ષામાં બેઠો હતો અને તેનું પરિણામ ૧૩.૦૩.૨૦૨૫ના રોજ જાહેર કરાયું હતું. જેમાં વિદ્યાર્થીને નાપાસ જાહેર કરાયો હતો. તેથી તેણે રિએસેસમેન્ટની અરજી કરી હતી.
જોકે રિએસેસમેન્ટ છતાંય તેનું પરિણામ બદલાયું નહોતું. વિદ્યાર્થીએ યુનિવર્સિટીને એક ઇમેઇલ કરીને આન્સરશિટનું પુનઃમૂલ્યાંકન કરવાની માગ કરી હતી. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે આન્સરશિટ થોડા સમયમાં અપલોડ કરાશે. વિદ્યાર્થીએ માર્કશિટ મેળવી હતી અને વિષયના એક નિષ્ણાતને બતાવી હતી. જેમનો મત હતો કે યુનિવર્સિટીએ મૂલ્યાંકનમાં ભૂલ કરી છે.
આ મંતવ્યના આધારે વિદ્યાર્થીએ ફરીથી બે વાર ઇમેઇલ કરી પરિણામના રિએસેસમેન્ટની માગ કરી હતી.’ અરજદાર વિદ્યાર્થીએ એવી રજૂઆત પણ કરી હતી કે,‘આ ઇમેઇલના પગલે થયેલી કાર્યવાહીમાં યુનિવર્સિટી દ્વારા તેને અગાઉ જે માર્ક્સ મળ્યા હતાં, એની માત્ર પુનઃગણતરી કરી હતી.
જોકે અરજદારે કેટલાક સવાલોમાં જે જવાબ આપ્યા હતા એમાં તેને કોઇ પણ માર્ક્સ આપવામાં આવ્યો નહોતો. તેણે આ સવાલો હલ કર્યા હોવા છતાંય તેને શૂન્ય માર્ક્સ અપાયા હતા.’SS1MS