૫ માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની અને ૩ બાળકોના મોત

નવી દિલ્હી, કાનપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ચમન ગંજ વિસ્તારમાં ગાંધીનગર ખાતે આવેલી એક પાંચ માળની ઈમારતમાં રવિવારે રાતે ભીષણ આગ લાગી જતાં એક જ પરિવારના પાંચ સભ્યો મૃત્યુ પામી ગયા.
માહિતી અનુસાર મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળક સામેલ છે. ૮ કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધાના શબ જ હાથ લાગ્યા હતા. ઈમારતમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ફાયબ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ ૮ કલાકે કાબૂમાં આવી હતી. ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે.
હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા. શોર્ટ સર્કિટને કારણે આ આગ ભડકી હોવાની જાણકારી મળી રહી છે.
આગની લપેટમાં શૂઝનું કારખાનું આવી ગયું હતું અને જોત જોતામાં જ આખી ઈમારત તેમાં લપેટાઈ ગઇ હતી. પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને રાહત બચાવ કામગીરી ચાલુ છે.SS1MS