Western Times News

Gujarati News

હું પરેશ રાવલની સામે કંઈ જ નથી: પંકજ ત્રિપાઠી

મુંબઈ, ‘હેરાફેરી ૩’ની ચર્ચાઓ અને વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યાં છે. જ્યારથી પરેશ રાવલે બાબુરાવનો રોલ છોડ્યો ત્યાંથી આ વિવાદ મોટો થતો રહ્યો છે. એક તરફ પરેશ રાવલ અને અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસની ટક્કરની ચર્ચાઓ ચાલતી હતી, ત્યાં દર્શકોએ આ રોલ બીજું કોણ કરી શકે, તેની પણ ચર્ચા શરૂ કરી દીધી હતી.

તેમાં પંકજ ત્રિપાઠીના નામની ચર્ચા સૌથી વધુ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે આ અંગે જવાબ આપ્યો હતો.પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પરેશ રાવલ જેવા કોઈ કલાકારનું સ્થાન લેવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પરેશ રાવલે કહ્યું,“ફૅન્સ ઇચ્છે છે કે હું આ રોલ કરું, એ વિશે મેં સાંભળ્યું અને વાંચ્યું. મને નથી લાગતું હું આ કામ કરી શકું.

પરેશ સર એક સજ્જ કલાકાર છે અને એમની સામે તો હું કશું જ નથી. મને એમના પ્રત્યે અપાર સન્માન છે એટલે મને નથી લાગતું કે આ કામ માટે હું યોગ્ય કલાકાર હોય.”પંકજ ત્રિપાઠીની લોકપ્રિય વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની નવી સીઝન આવી રહી છે, જેમાં તે વકીલ માધવ મિશ્રાનો રોલ કરે છે, આ ઉપરાંત તેમના ‘ફુકરે’, ‘બરેલી કી બર્ફી’, ‘સ્ત્રી’ જેવી ફિલ્મનું કોમિક ટાઇમિંગ પણ લોકપ્રિય થયું છે.

લોકો ભલે માગણી કરતા હોય પરંતુ તેમના માટે બાબુરાવનો રોલ કરવો પડકારજનક છે. પરેશ રાવલ આ પહેલાંની બંને હેરાફેરી ફિલ્મમાં બાબુરાવનો રોલ કરતા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે હવે કૅરિઅરના આ પડાવ પર તેમને એ રોલ કરવો યોગ્ય લાગતો નથી.

એવા ઘણા અહેવાલો હતા કે સર્જનાત્મક વિવાદને કારણે તેણે ફિલ્મ છોડી છતાં ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શન અને પરેશ રાવલ બંને આ વાતથી ઇનકાર કરે છે.આ અંગે સુનિલ શેટ્ટીએ પણ તાજેતરના ઇન્ટરવ્યુમાં આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે,“તમારા બધાની જેમ જ હું પણ ચકિત છું.

મેં તેમની સાથે એક સેકન્ડ માટે જ વાત કરી અને તેમને મળવા માટે કહ્યું છે.હજુ સુધી અમે મળીને વાત કરી શક્યા નથી. બાકી, પરેશજી એવા વ્યક્તિ નથી. એમણે જાહેર મંચ પર આવી જાહેરાત કરી ન હોત.

જ્યારે હેરાફેરીની વાત આવે ત્યારે, હું, અક્ષય અને પરેશજી એકસાથે છીએ. એ ઘણા ઉત્સાહમાં હતા.”સુનીલ શેટ્ટીએ એવું પણ કબૂલ્યું કે તેઓ હેરાફેરી સાથે આવારા પાગલ દિવાના અને વેલકમના બીજા ભાગ પર પણ ચર્ચા કરતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.