મેં એક્ટર તરીકે આલિયા ભટ્ટ માટેની ઇર્ષ્યાનો ત્યાગ કરી દીધો છે : સારા

સારા અલી ખાને આલિયા ભટ્ટની સફળતા પર ઇર્ષ્યા અંગે ખુલાસો કર્યાે
આ અંગે એક મનોચિકિત્સક કહે છે, અદેખાઈ એ એક માનવ સ્વભાવના ઉંડાણમાં રહેલો સ્વભાવ છે
મુંબઈ,સારા અલી ખાને તાજેતરમાં તેને શરુઆતમાં આલિયા ભટ્ટની સફળતા અને સિધ્ધિઓ જોઈને ઇર્ષ્યા થતી હતી, તે અંગે ખુલાસો કર્યાે હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે તેને આલિયાની પર્સનલ અને પ્રોફેશનલ સફળતા અને સિદ્ધીઓ જોઈને ઇર્ષ્યા થતી હતી.આલિયાને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે સારાએ કહ્યું હતું,“જ્યારે આલિયાને નેશનલ એવોર્ડ મળ્યો તો, મને થયું, હે ભગવાન, આને તો બાળક પણ છે, લાઇફ પણ સેટ છે. પરંતુ મને એ નથી ખબર કે ત્યાં પહોચવામાં તે કેટલો સંઘર્ષ કર્યાે છે.મેં એક કલાકાર તરીકે, એ લાગણીઓનો ત્યાગ કરી દીધો છે.”આગળ સારાએ કહ્યું,“તમને ખબર નથી, તેને પણ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હશે અને તેને પણ નિઃરાશાઓ મળી હશે, ત્યારે એ આ પડાવ પર પહોંચી હશે.
પરંતુ મને એ સમજાયું નહીં કે તેણે શું અનુભવ્યું હશે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે.”આ લાગણી છતાં સારાએ અદેખાઇ પર એક અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યાે હતો, તેણે કહ્યું,“મોટા ભાગે, આપણને બીજા લોકની અદેખાઈ થાય, એ આપણ કોઈ પણ પ્રકારની માહિતીના અભાવે અનુભવતા હોઈએ છીએ. આપણને ઇર્ષ્યા થાય છે, કારણ કે આપણે માત્ર સફળતા જ જોઈએ છીએ, તેની પાછળનો સંઘર્ષ નહીં, તેની પાછળ શું શું થયું એ આપણને ખબર નથી હોતી. અદેખાઈ મતલબ કે અંધપણું.”જ્યારે આ અંગે એક મનોચિકિત્સક કહે છે, “અદેખાઈ એ એક માનવ સ્વભાવના ઉંડાણમાં રહેલો સ્વભાવ છે. પછી તે અંગત સંબંધમાં હોય કે પ્રોફેશનલ રીતે, આપણી અંદરની લોકો આપણી નોંધ લે, આપણને પણ કોઈ સફળતા મળે કે કોઈ આપણને પોતાનું માને એવી લાગણીમાંથી આ ભાવના આવતી હોય છે. જોકે, આપણે સપાટી પર સંપુર્ણ ચિત્ર જોઈ શકતાં નથી.
અદેખાઇને સમજવી, એ કેમ થાય છે એ સમજવું અને તેની અસરો સમજવાથી વ્યક્તિને યોગ્ય રીતે ઇર્ષ્યાની લાગણીઓને દૂર કરવામાં મદદ મળે છે.”આગળ તેઓ જણાવે છે, “અદેખાઇ કે ઇર્ષ્યા અંગત સંબંધોમાં અસંતુલનને કારણે આવી શકે છે, જ્યારે એક મિત્રને વધુ સંતોષકારક સંબંધો મળ્યા હોય, સહજ અને વિવિધાપૂર્ણ પરિવાર હોય, કે પછી જીવનમાં બિલકુલ સ્થિરતા હોય. જ્યારે પ્રોફેશનલી, તમારા સાથી સહકર્મીઓ મોટી સફળતાઓ મેળવી લે અને આપણે પણ આપણી નોંધ લેવાય એવું ઇચ્છિએ, આર્થિક સફળતા મેળવી શકીએ કે કોઈ ચોક્કસ કારકિર્દીમાં સફળતા મેળવી શકીએ.”SS1