પરેશ રાવલ સાથે ૩૫થી વધુ વર્ષ કામ કર્યું છે, એ એક અદ્દભુત કલાકાર છે: અક્ષય કુમાર

મુંબઈ, અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે વિખવાદ છેલ્લાં થોડાં દિવસોથી ચર્ચામાં છે કારણ કે પરેશ રાવલે અચાનક જ ‘હેરા ફેરી ૩’ છોડી દીધી છે. તેઓ બંને એકબીજા સાથે ઘણી ફિલ્મમાં કામ કરી ચુક્યા છે અને હેરા ફેરીની આગળની બે ફિલ્મમાં પણ તેઓ સાથે કામ કરી ચુક્યા છે.
હવે બંને વચ્ચે સંબંધ એટલા વણસી ગયા છે કે હવે બંને વકીલ મારફતે જ વાત કરે છે. અક્ષય કુમારે પહેલી વખત આ મુદ્દે જાહેરમાં વાત કરી છે.મંગળવારે અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ ૫’ના ટ્રેલર લોંચની એક ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં અક્ષય કુમારે પહેલી વખત આ મુદ્દે જાહેરમાં કોઈ વાત કરી છે.
એક પત્રકાર દ્વારા આ ઇવેન્ટમાં અક્ષય કુમારને, કેટલાંક લોકો પરેશ રાવલને ‘મુર્ખ’ કહે છે એ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે અક્ષયે કહ્યું, “મારા કા-સ્ટાર માટે આ પ્રકારના મૂર્ખ જેવા શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય નથી, હું આવી કોઈ બાબતની તરફેણ કરતો નથી. મેં તેમની સાથે છેલ્લા ૩૦-૩૨ વર્ષથી કામ કર્યું છે. તેઓ એક અદ્દભુત કલાકાર છે. હું ખરેખર તેમનું સન્માન કરું છું.”
આગળ અક્ષય કુમારે કહ્યું, “મને નથી લાગતું આ યોગ્ય જગ્યા છે, જ્યાં હું એ એ અંગે વાત કરી શકું. કારણ કે જે કંઈ પણ બન્યું છે એ ઘણી ગંભીર બાબત છે. આ એક એવો મુદ્દો છે, જે કોર્ટમાં જ ચાલે તે યોગ્ય રહેશે. તેથી મને નથી લાગતું એ અંગે હું અહીં વાત કરીશ.”“
પરેશ રાવલ આ પ્રકારનું કોઈ કામ કરવા નથી માગતા” એવું કહીને તેમણે હેરા ફેરી ૩ છોડી દીધી છે. બાબુરાવ ગણપતરાવ આપટેના લોકપ્રિય રોલને છોડવા વિશે આ ઉપરાંત કોઈ સ્પષ્ટતા પણ કરી નથી. ૧૮ મેએ પરેશ રાવલે સૌથી પહેલી ટ્વીટ કરી હતી અને લખ્યું હતું, “હું જાહેરમાં કહેવા માગુ છું કે મારો હેરા ફેરીથી દુર રહેવાનનો નિર્ણય સર્જનાત્મક મનભેદના કારણે છે.
હું એ જાહેર કરવા માગુ છું કે ફિલ્મ મેકર અને મારી વચ્ચે કોઈ સર્જનાત્મક અસહમતિ નથી. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શન માટે મને અપાર પ્રેમ, માન અને વિશ્વાસ છે.”SS1MS