ઈન્દોરમાં ત્રણ દિવસમાં બે મહિલાની હત્યાથી ચકચાર
ઈન્દોર, ઈન્દોરમાં ૩ દિવસમાં બે મહિલાઓની હત્યાની ઘટના સામે આવી છે. કુમાવતપુરામાંથી ખૂનથી લથપથ મહિલાનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સામે આવ્યું કે, મહિલાનું માથું કચડીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી વાંધાજનક સામગ્રી મળી છે. હાલમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે, મહિલાની રેપ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના રાવજી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ત્યાં મહિલાનો ખૂનથી લથપથ મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની પત્થરથી માથુ કચડી હત્યા કરવામાં આવી છે. આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરી મહિલાની ઓળખ કરવામાં કરવામાં આવી છે. મૃતક મહિલા ૪ મહિના પહેલા કુમાવતપુરા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેવા આવી હતી. ત્યારબાદ તે ઘર છોડીને બીજા સ્થળે શિફ્ટ થઈ ગઈ હતી પરંતુ દુર્ઘટના સમયે તે તેજ વિસ્તારમાં ફરીથી કઈ રીતે પહોંચી તેની જાણકારી નથી મળી.
મહિલા પરિવારથી અલગ રહેતી રહેતી તેના મોતની સૂચના મળ્યા બાદ ઘણા સમય સુધી પરિવારના સદસ્યો ઘટના સ્થળ પર નહોતા પહોંચ્યા. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ શોધી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહિલા સાથે રેપ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હશે.
હાલમાં પોલીસ દેખાવના આધારે બે આરોપીઓની તલાશ કરી રહી છે. ઈન્દોરના બે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ દિવસમાં બે મહિલાઓની હત્યાના કારણે શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ એરોડ્રોમ વિસ્તારમાં આવેલા વિદ્યા પેલેસમાં એક મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ બે દિવસ બાદ પણ મહિલાના હત્યારાઓને શોધી શકી નથી. તે હત્યામાં મહિલા તેના પતિને છોડીને પ્રેમી સાથે અલગ રહેતી હતી.