Western Times News

Gujarati News

વિદ્યાર્થીના મોતનો મામલો શાળાના આચાર્ય સહિત ૪ વિરૂદ્ધ ગુનો દાખલ

વિજાપુર, મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-૯ના વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે હવે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ૪ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિજાપુર પોલીસે ૧ પ્રિન્સિપાલ, ૨ શિક્ષક અને ૧ સિક્યુરિટીની ધરપકડ કરી ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વિજાપુરની સેન્ટ જોસેફ વિજાપુર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં ગરબા હોવાથી શાળાને સજાવવામાં આવી રહી હતી. શાળામાં સિરીઝ લગાવતા સમયે ૩ બાળકો અને ૨ કારીગરને કરંટ લાગ્યો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાંથી ધોરણ-૯ના એક વિદ્યાર્થીનું મોત થયું હતું.

૧ કારીગર અને ૨ બાળકો ઉમિયા સર્જીકલ હોસ્પિટલ વિજાપુરમાં સારવાર હેઠળ છે, જયારે અન્ય એક કારીગર યશ હોસ્પિટલ વિજાપુરમાં સારવાર હેઠળ છે. મૃતક વિદ્યાર્થીનું નામ આર્યરાજસિંહ ઉપેન્દ્રસિંહ સિસોદિયા હોવાનું અને તે સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકનો હોવાનું જાણવા મળ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.