Western Times News

Gujarati News

ભારતની બ્રહ્મોસ મિસાઈલ વિનાશ વેર્યો : શરીફ

અમે કાર્યવાહી કરીએ તે પહેલા હુમલો થઈ ગયોઃ પાકિસ્તાનના વડાપ્રધાન

શેહબાઝ શરીફ આ વાત સ્વીકારી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના ચીફ ઓફ સ્ટાફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર પણ તેમની સામે બેઠા હતા

લાચિન,
પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ અને પાકિસ્તાની એરબેઝ પર ભારતે કરેલા હુમલાઓને પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ ક્યારેય ભૂલી નહી શકે. તે રાતની ઘટનાઓને યાદ કરતા શરીફે કહ્યું કે, પાકિસ્તાને સવારની નમાજ પછી ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ તે પહેલાં જ ભારતે બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનના હવાઈ સહિતના લશ્કરી ઠેકાણાં પર હુમલા કર્યા હતા.શેહબાઝ શરીફ આ વાત સ્વીકારી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના ચીફ ઓફ સ્ટાફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર પણ તેમની સામે બેઠા હતા.

બાદમાં, તેમણે મુનીરને ઉભા કર્યા અને આખી સભામાં તેમનો પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે બંને પક્ષોએ સાથે બેસીને કાશ્મીર, પાણી અને આતંકવાદ સહિતના મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ.ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે દબાણ કરવા માટે આ અઠવાડિયે તેમનું આ બીજું નિવેદન હતું. અગાઉ તેહરાનમાં શરીફે કહ્યું હતું કે તેઓ તમામ વિવાદોના ઉકેલ માટે ભારત સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન સાથે ફક્ત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર પરત કરવા અને આતંકવાદના મુદ્દા પર જ વાટાઘાટો કરશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.