કોઈપણ મતદારે મતદાન કરવા માટે ૨ કિમીથી વધુ દૂર નહીં જવું પડે

ચૂંટણી પંચે ચૂંટણી વ્યવસ્થાપન માટે ૧૦૦ દિવસમાં ૨૧ પહેલ કરી
મતદારોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરવા માટે દરેક મતદાન મથકના પ્રવેશદ્વાર પર મોબાઇલ ફોન જમા કરવાની સુવિધા સ્થાપિત કરાશે
નવી દિલ્હી,મતદારોના અનુભવને વધારવા અને મતદાન વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ચૂંટણી પંચે છેલ્લા ૧૦૦ દિવસોમાં ૨૧ નવી પહેલ શરૂ કરી છે. આ પગલાં ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં સુધારા, તાલીમ કાર્યક્રમો અને રાજકીય હિસ્સેદારોની સામેલગારી સંબંધિત છે. આ પગલાં ૨૬મા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના પ્રથમ ૧૦૦ દિવસના કાર્યકાળમાં લેવામાં આવ્યા છે. મતદારોની સરળતામાં વધારો કરવા માટે ચૂંટણી સત્તાવાળાઓએ મતદાન મથક દીઠ મતદારોની મહત્તમ સંખ્યા ૧,૫૦૦થી ઘટાડી ૧,૨૦૦ કરી છે. હાઇરાઇઝ બિલ્ડ઼ગિં અને હાઉસિંગ કોલોની જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વધારાના મતદાન મથકો સ્થાપિત કરાશે. ચૂંટણીપંચનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ મતદાતાને મતદાન કરવા માટે ૨ કિમીથી વધુ મુસાફરી કરવાની જરૂર ન પડે.
મતદાન મથક નંબરની સ્પષ્ટતા માટે વોટર ઇન્ફર્મેશન સ્લીપને ફરીથી ડિઝાઇન કરાઈ છે. મતદારોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરવા માટે દરેક મતદાન મથકના પ્રવેશદ્વાર પર મોબાઇલ ફોન જમા કરવાની સુવિધા સ્થાપિત કરાશે.પહેલા ઉમેદવારો મતદાન મથકના પ્રવેશદ્વારથી ૨૦૦ મીટર દૂર તેમના બૂથ ઊભા કરી શકતા હતાં. હવે તેઓને ૧૦૦ મીટર દૂર બુથ ઊભા કરવાની મંજૂરી અપાશે. ચૂંટણીપચે ભારતના રજિસ્ટ્રાર જનરલ પાસેથી મૃત્યુ નોંધણી ડેટાનો ઉપયોગ પણ ચાલુ કર્યાે છે. તેનાથી મૃતક મતદારોને યાદીમાંથી સમયસર ધોરણે ચકાસણી કરીને દૂર કરી શકાય. રાજકીય હિસ્સેદારો સાથે નિયમિત વાતચીતને સંસ્થાકીય બનાવવાના પગલાના ભાગરૂપે ચૂંટણી પંચે રાજકીય પક્ષોના ૨૮,૦૦૦થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી સાથે ૪,૭૧૯ બેઠકોનું આયોજન કર્યું છે.SS1