આતંકવાદ સામેની ભારતની લડાઇને વૈશ્વિક નેતાઓનું સમર્થન

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં ૨૦ દેશોના રાજદૂતોએ આતંકવાદની નિંદા કરી
ફ્રીટાઉન,
ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો ગુરુવારે વૈશ્વિક નેતાઓ અને લગભગ બે ડઝન રાજદૂતોને મળ્યા હતાં. આ વૈશ્વિક નેતાઓએ તમામ સ્વરૂપોમાં આતંકવાદની કડક નિંદા કરી હતી અને આ ખતરાનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.એક અસાધારણ સંકેત તરીકે પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનની સંસદે ગુરુવારે શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળની હાજરીમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું.
રાજધાની ફ્રીટાઉન ખાતેના ભારતીય હાઈ કમિશને એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્રતિનિધિમંડળની મુલાકાત આતંકવાદના તમામ સ્વરૂપોનો સામનો કરવા માટે ભારતની દૃઢ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તથા પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને જોડવાના તેના વ્યાપક પ્રયાસોને હાઇલાઇટ કરે છે. SS1