Western Times News

Gujarati News

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત-અમેરિકાના દ્વિપક્ષી વેપારને ૫૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય

‘ઓપરેશન સિંદૂર’ પછી ચીન સાથે પહેલી બેઠક

ટ્રેડ ડીલ માટે US પ્રતિનિધિ મંડળ ૭ દિવસ ભારતમાં રોકાશે

નવી દિલ્હી,ટ્રેડ ડીલને ઝડપી બનાવવાના હેતુથી અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. ૪ જૂથી ૧૦ જૂન સુધી યુએસ પ્રતિનિધિ મંડળ ભારતમાં રોકાશે. અહીંયા બંને દેશના પ્રતિનિધિ મુખ્યત્વે ટેરિફમાં ઘટાડા મારફતે બંને દેશના બજારોને ખોલવા અને સપ્લાય ચેનના એકીકરણને બહેતર બનાવવા બાબતે વાટાઘાટો કરી રહ્યા છે. દ્વિપક્ષી વેપાર કરારના પ્રથમ તબક્કામાં બંને દેશને લાભદાયી હોય તેવા પાસા પર સંમતિ સાધવા પપ્રયાસ થઈ રહ્યા છે. દ્વિપક્ષી વેપારમાં બંને દેશને સરખો લાભ થાય તે હેતુ સાથે વાટાઘાટો ચાલી રહી છે. એડિશનલ યુએસ ટ્રેડ રીપ્રેઝન્ટેટિવના વડપણ હેઠળ આવેલું પ્રતિનિધિ મંડળ એક અઠવાડિયુ ભારતમાં રોકાવાનું છે.

બંને દેશ વચ્ચેના વેપારમાં મુખ્ય અચડણ ટેરિફની છે. કેટલીક વસ્તુઓ પર ટેરિફ વધારે છે, જ્યારે કેટલીક વસ્તુઓને ટેરિફમાં રાહત અપાયેલી છે. આ વિસંગતતા દૂર કરવાની સાથે સપ્લાય ચેન બહેતર બનાવવા વિચારણા થઈ હતી. ભારત અને અમેરિકા ૧૩ ફેબ્›આરીના રોજ દ્વિપક્ષી વેપારને ૨૦૩૦ના વર્ષ સુધીમાં ૫૦૦ અબજ ડોલરે પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. રાજકીય અને આર્થિક રીતે ભારત-અમેરિકા વચ્ચેની નિકટતાને નક્કર સ્વરૂપ આપવા અને ૫૦૦ અબજ ડોલરનું લક્ષ્ય હાસલ કરવાના હેતુને વાટાઘાટોમાં પ્રાથમિકતા અપાઈ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું. સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં બંને દેશને લાભ થાય તેવા દ્વિપક્ષી વેપાર કરાર કરવાનું આયોજન છે, જેના પ્રથમ પડાવ તરીકે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.

અગાઉ ૧૭થી ૨૨ મે દરમિયાન ભારતનું પ્રતિનિધિ મંડળ ચાર દિવસ અમેરિકામાં રોકાયું હતું.ઓપરેશન સિંદૂર બાદ ભારત અને ચીનના ટોચના રાજદ્વારીઓ વચ્ચે દ્વિપક્ષી સંબંધ બાબતે પ્રથમ વખત ચર્ચા થઈ છે. જેમાં મુખ્યત્વે ગત વર્ષે બંને દેશના વડાઓએ સંમતિ આપી હોય તેવા પાસાઓ અંગે ચર્ચા થઈ હતી. ભારતના ચીન ખાતેના રાજદૂત પ્રદીપ કુમાર રાવત અને ચીનના નાયબ વિદેશ મંત્રી સુન વેઈડોન્ગ વચ્ચે મંત્રણા થઈ હતી. બંને પક્ષે એકબીજાને સહકાર આપવા તત્પરતા દાખવી હોવાનું ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું. કેટલાક સમાન મુદ્દાઓ અંગે બંને દેશ દ્વારા પોતાના દૃષ્ટિકોણ રજૂ થયા હતા.

પૂર્વીય લદાખમાં બંને દેશના સૈન્ય ચાર વર્ષથી સામ-સામે આવી ગયા છે. આ તણાવ ઘટાડવાની કવાયતના ભાગરૂપે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા ચીને મંજૂરી આપી છે અને બેઠકમાં તેની તૈયારીને આખરી ઓપ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ૨૦૨૦ના વર્ષથી કૈલાસમાનસરોવર યાત્રા અટકાવી દેવાઈ છે. આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડના લિપુલેખ અને સિક્કિમના નાથુલાના રૂટ પર આ યાત્રા યોજાશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.