આતંક સામે ભારતની ઝીરો ટોલેરન્સની નીતિનો મેસેજ વિશ્વને આપ્યો

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ લંડનથી પ્રતિનિધિમંડળ બ્રસેલ્સ જશે જ્યાં તેઓ યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના અધિકારીઓ સાથે વાતચીત કરશે
કૈરો,સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળોએ મંગળવારે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના ભારતના મક્કમ સંદેશને અસરકારક રીતે અનેક દેશોને પહોંચાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકી અડ્ડા પર મોટી કાર્યવાહી કરશે તો જ નવી દિલ્હી ઇસ્લામાબાદ સાથે વાતચીત કરશે. બ્રાઝિલના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે પાકિસ્તાન તેના દરેક જગ્યાએ દેખાતા ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કાર્યવાહી કરે તો ભારત વાતચીત કરી શકે છે. તેઓ આપણા ભારતના ૧૦૦૦ ટુકડા કરવા માગે છે. તેઓ આટલી સરળતા લોહી વહેવડાવી શકશે નહીં. તેમણે આ વિચાર ભૂલી જવો જોઇએ. આતંકવાદ સામે ભારતના વલણને વિશ્વના દેશો માન્યતા આપી રહ્યા છે કે નહીં તેવા સવાલના જવાબમાં થરૂરે જણાવ્યું હતું કે તેમનું પ્રતિનિધિમંડળ અત્યાર સુધી ગુયાના, પનામા, કોલંબિયા અને બ્રાઝિલની મુલાકાત લઈ ચૂક્યું છે.
આ ચારેય દેશોમાં અમને ખૂબ જ સ્પષ્ટ સફળતા મળી છે. કોલંબિયાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે અમારો સંદેશ ખૂબ જ સ્પષ્ટ રીતે પહોંચાડ્યો છે, જેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમને કેટલીક ગેરસમજ થઈ હશે. અગાઉ, થરૂરે કહ્યું હતું કે કોલંબિયાએ અગાઉ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું, પરંતુ તેમના પ્રતિનિધિમંડળે સરહદ પારના આતંકવાદને ઇસ્લામાબાદના અવિરત સમર્થન વિશે સમજાવ્યું હતું ત્યારે કોલંબિયાએ આ નિવેદન પાછું ખેંચી લીધું હતું.લંડનમાં ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે યુકે સરકારના મંત્રીઓ, સંસદસભ્યો, પક્ષના નેતાઓ, થિંક ટેન્કો અને ભારત મિત્રતા જૂથો સાથે મુલાકાત કરી હતી.
લંડનમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે આ પ્રતિનિધિમંડળને વ્યાપક સમર્થન મળ્યું, જે વૈશ્વિક સુરક્ષા, ન્યાય અને વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાઓની પુષ્ટિ કરે છે. આ પ્રતિનિધિમંડળ કન્ઝર્વેટિવ પાર્ટીના સહ-અધ્યક્ષ લોર્ડ ડોમિનિક જોન્સન અને કન્ઝર્વેટિવ ળેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ, કુલેશ શાહને મળ્યું હતું. તેઓએ આતંકવાદ સામે ભારતની લડાઈને મજબૂત સમર્થન આપ્યું અને યુકેમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરી હતી. લંડનથી પ્રતિનિધિમંડળ બ્રસેલ્સ જશે જ્યાં તેઓ યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના અધિકારીઓ સાથે વાતચીત કરશે.
કૈરોમાં સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત ઇજિપ્તના વિદેશ પ્રધાન બદ્ર અબ્દેલટ્ટીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને તેમના દેશનું સમર્થન આપ્યું હતું અને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં દ્વિપક્ષીય સહયોગનું સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિમંડળે આરબ લીગના મહાસચિવ અહેમદ અબુલ ઘેતને પણ મળ્યા અને ૨૨ સભ્યોના બ્લોક સાથે ભારતના વ્યાપક રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક જોડાણ અંગે ચર્ચા કરી હતી.SS1