IPLમાં આવતી તમાકુ અને દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મુકવા કોણે પત્ર લખ્યો?

File
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આલ્કોહોલ અથવા તમાકુ ઉત્પાદનોને IPLમાં બતાવાતી જાહેરાતો સમર્થન આપે છે
(એજન્સી)નવી દિલ્હી, આઈપીએલની ૧૮મી સિઝન ૨૨ માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે આઈપીએલની જાહેરાતોને લઈને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલયે ઈન્ડિયન પ્રીમિયર લીગને ૨૨ માર્ચથી શરૂ થનારી ટુર્નામેન્ટ દરમિયાન ‘સરોગેટ’ જાહેરાતો સહિત તમામ પ્રકારના તમાકુ અને આલ્કોહોલના પ્રચાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે કહ્યું કે ક્રિકેટ ખેલાડીઓ ભારતના યુવાનો માટે રોલ મોડલ છે. તેઓ કોઈપણ પ્રકારની તમાકુ અથવા આલ્કોહોલની જાહેરાત સાથે પ્રત્યક્ષ કે આડકતરી રીતે જોડાયેલા ન હોવા જોઈએ.
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે પત્રમાં લખ્યું છે કે, આઈપીએલ એ સરોગેટ જાહેરાતો સહિત તમાકુ અને આલ્કોહોલ સંબંધિત તમામ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ મૂકતા નિયમોનો કડક અમલ કરવો જોઈએ.
આવી જાહેરાતો સ્ટેડિયમની અંદર અને રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારણ દરમિયાન પણ દર્શાવવી જોઈએ નહીં. સ્પર્ધા દરમિયાન અને રમતગમતની સુવિધામાં તમાકુ અને આલ્કોહોલ ઉત્પાદનોનું વેચાણ ન હોવું જોઈએ, પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આલ્કોહોલ અથવા તમાકુ ઉત્પાદનોને સમર્થન આપે છે.