Western Times News

Gujarati News

“કર્ણાટક સરકારને RCBના સન્માન કરતાં પ્રચારમાં વધુ રસ હતો” : 11ના મોત

IPL બાદ RCBનો સન્માન સમારંભમાં નાસભાગઃ 11નાં મોત, ૨૮થી વધુ ગંભીર

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ટીમનો સન્માન સમારંભ યોજાયો હતો, સરકારની ગણતરી કરતાં પણ વધુ લોકો સ્ટેડિયમ પર ઉમટી પડ્યા

બેંગલુરુ, આઈપીએલના ઈતિહાસના ૧૮ વર્ષમાં પ્રથમ વાર આરસીબીની ટીમ ચેÂમ્પયન બનતાં સમગ્ર બેંગ્લોરમાં રાતથી જ જીતનો જશ્ન જોવા મળતો હતો. આ દરમિયાનમાં આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબીની ટીમનું અભિવાદન સમારોહ યોજાયો હતો. જોકે, તે પહેલાં વિક્ટરી પરેડ યોજાઈ હતી.

સરકારના અંદાજ મુજબ આ સમારંભમાં એક લાખ જેટલી પબ્લિક ઉમટી પડશે પરંતુ તેના સ્થાને છ લાખ જેટલી પબ્લિક સ્ટેડિયમ પાસે ઉમટી પડતાં સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ કાબૂની બહાર જતાં પોલીસે પણ કોઈપણ જાતના વિચાર વગર ઉપસ્થિત ભીડ ઉપર લાઠીચાર્જ કરતાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

જેમાં કેટલાંય લોકો કચડાયા હતા. એક પછી એક ૧૧ જેટલાં મૃતદેહો હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે ૨૬ વ્યક્તિને ગંભીર હાલતમાં અને ૫૦ વ્યક્તિને ઈજાગગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર શહેરમાંથી એમ્બ્યુલન્સનો કાફલો સ્ટેડિયમ પાસે તૈનાત કરી દેવાયો હતો. પોલીસના લાઠીચાર્જ છતાં પણ ભીડ કાબૂમાં આવવાનાં બદલે બેકાબૂ બની ગઈ હતી.

આશ્ચર્યની વાત એ છે કે, રાજ્ય સરકારને કોઈ લેવાદેવા નહીં હોવા છતાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ખુદ મંત્રીમંડળના સભ્ય સાથે સ્ટેડિયમમાં હાજર હતા. શરમજનક બાબત એ છે કે, સ્ટેડિયમની બહાર કરુણાંતિકા સર્જાવા છતાં આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના માટે જવાબદાર પોલીસને રાજ્યના ગૃહમંત્રીએ ક્લીનચીટ આપી દીધી હતી.

બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટ્રી પરેડમાં નાસભાગ મચી ગઈ હતી. સમાચાર એજન્સી અનુસાર, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે વિધાનસભામાં ટીમનું સન્માન થઈ રહ્યું હતું. આ દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્‌યો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી હતી, હજારો ચાહકો અહીં હાજર હતા. ભાગદોડ પહેલા જ એક બાળક બેભાન થઈ ગયું હતું. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું- લાખોની ભીડ હાજર હતી.

અમે હજુ પણ પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલા મૃત્યુ થયા છે તેની હજુ પુષ્ટિ થઈ નથી. મોદીએ બેંગલુરુમાં થયેલી નાસભાગ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું. ટીમ એરપોર્ટ પહોંચી ત્યારે હજારો ચાહકો ત્યાં હાજર હતા. વિધાનસભા પહોંચતા જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ પછી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ કાર્યક્રમો યોજાયા હતા.

લોકો આ નાસભાગની ઘટના અને વિરાટ કોહલીને ક્યારેય ભૂલશે નહીં. જ્યારે લોકો બહાર મૃત્યુ પામી રહ્યા હતા, ત્યારે અંદર ઉજવણી ચાલી રહી હતી. આ ખરેખર આઘાતજનક અને નિરાશાજનક છે. મૃતકોના પરિવારોએ આ દુઃખદ દુર્ઘટના માટે આરસીબી અને રાજ્ય સરકાર પર ૧૦૦ કરોડ રૂપિયાનો દાવો કરવાનું વિચારવું જોઈએ. બીસીસીઆઈ પણ જવાબદારી ટાળી રહ્યું છે.

કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું- રાજ્ય સરકારે આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. જ્યારે આખો દેશ અને કર્ણાટક આરસીબીના વિજયની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે કોઈપણ પૂર્વ તૈયારી વિના વિજય રેલી કાઢવામાં ઉતાવળ કરી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. રાજ્ય સરકારે ક્યારેય પૂર્વ તૈયારીઓની પરવા કરી નહીં.

તેમને પ્રચારમાં વધુ રસ હતો. પરિણામ એ આવ્યું કે ૧૧થી વધુ લોકો મૃત્યુ પામ્યા. કેટલાક લોકો આઈસીયુમાં છે. મેં કેટલાક પીડિતો સાથે વાત કરી, અંદર કોઈ પોલીસ નહોતી, એમ્બ્યુલન્સની સુવિધા નહોતી. મુખ્યમંત્રીએ આ મામલો ન્યાયિક તપાસ માટે મોકલવો જોઈએ.

કર્ણાટક વિધાન પરિષદના વિપક્ષી નેતા અને ભાજપના એમએલસી ચાલાવાડી નારાયણસ્વામીએ કહ્યું- આ ઘટના સરકારના કારણે બની. તેમને ખ્યાલ નહોતો કે કેટલા લોકો આવશે, શું સાવચેતી રાખવી પડશે. આ સુરક્ષામાં ખામી છે.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પણ ભાગદોડની ઘટના પર કહ્યું- આરસીબીની વિક્ટ્રી પરેડ જોવા ગયેલા લોકો આ દુર્ઘટના અને મૃત્યુથી ખૂબ જ દુઃખી અને આઘાત પામ્યા છે. મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ગર્વ હોવો જોઈએ, પણ જીવનથી મોટું નહીં. હું દરેકને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.