Western Times News

Gujarati News

ઈસ્કોનથી પકવાન જંકશન સુધીના સર્વિસ રોડને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરાશે

File Photo

સાબરમતી સફાઈ મહાઅભિયાનમાં એક લાખ લોકોએ શ્રમદાન કર્યુંઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પ્રવેશદ્વારો નજીક આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે. આ ઉપરાંત એસ.જી.હાઈવેને પણ આઈકોનીક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. સાથે સાથે વૈષ્ણોદેવીથી સરખેજ સુધીના સર્વિસ રોડને ડેવલોપ કરવા જાહેરાત કરવામાં આવી છે

જેના પ્રથમ તબક્કામાં ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન જંકશન સુધી સીટી એન્ટ્રી તરીકે ડેવલપ કરવામાં આવશે. શહેરમાં ર૦૩૬ ઓલિÂમ્પકને ધ્યાનમાં લઈ ડેવલોપમેન્ટ કામ થઈ રહયા છે ત્યારે નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જયારે સાબરમતી નદી સફાઈમાં ૯૦ હજાર કરતા વધુ લોકો જોડાયા હતાં.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરની એન્ટ્રીમાં આઇકોનીક સર્વિસ રોડ ની કામગીરીમાં જુદાં જુદાં પ્રકારનાં ડીઝાઈન વાળા અને સારા એસ્થેટીક વ્યુ વાળા લાઇટ પોલ્સ, તેનાં ડેકોરેટીવ ફીટીંગ્સ, વગેરેને કારણે રોડની સુંદરતામાં વધારો થશે, ફૂટપાથ અને ગ્રીન પેચમાં લાઈટ ફીટીંગ્સને કારણે તેની ગ્રીનરીની સુંદરતામાં વધારો થશે.

પકવાન ચાર રસ્તા અને તેનાં સર્વિસ રોડ થી શહેરમાં પ્રવેશનાર વ્યક્તિને ઉપરોક્ત લાઇટીંગ ને કારણે આઇકોનીક રોડની ફીલીંગ આવશે. સદર સ્થળે રાત્રીનાં સમયે રોશની ને કારણે યુવાનોને, બાળકોને તેમજ વડીલો ને હરવા ફરવામાં સરળતા રહેશે, પીકનીક સ્પોટ તરીકે ડેવલપમેન્ટ કરી શકાશે તેમજ લાઇટીંગને કારણે આનંદની લાગણી અનુભવાશે.

આજુબાજુનાં કોમ્પ્લેક્ષની અંદર કોર્મશીયલ કંપનીઓમાં કામ કરતાં લોકોને તેઓની રીસેસ દરમ્યાન ગ્રીનરી નો આનંદ મળી શકશે. ઉપરાંત સદર સ્થળે લેન્ડસ્કેપીંગ, ગાર્ડન તેમજ જુદાં જુદાં પ્રકારના વૃક્ષોને કારણે દિવસ દરમ્યાન ઉનાળાની ઋતુમાં ઠંડક અનુભવાશે. ફૂટપાથ પર નાના બાળકો રમી શકશે. યુવાનો, બાળકો, તેમજ વડીલો સદર ફૂટપાથનો મો‹નગ વોક ટ્રેક તરીકે ઉપયોગ કરી શકશે. જેના માટે અંદાજે રૂ.૬ કરોડનો ખર્ચ થશે.

૧૫ મે ૨૦૨૫થી શરૂ થયેલ સાબરમતી સફાઈ મહાઅભિયાનમાં ૧૦૦૦૦૦ થી વધારે લોકોએ શ્રમદાન કરીને સ્વચ્છ સાબરમતીના સંકલ્પને સિદ્ધ કર્યો છે. આ સંકલ્પમાં ૧૫૦ થી વધારે એનજીઓ ૨૫થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ, બેન્ક, ક્રેડાઈ અમદાવાદ જેવા રીયલ એસ્ટેટ સંગઠનો, ઔદ્યોગિક અને કોર્પોરેટ એકમો અને અમદાવાદના નાગરિકોનું નોંધપાત્ર યોગદાન છે.

સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન ૫ જૂને પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે ૧૬૬ મેં. ટન પ્લાસ્ટિક, ૮૬ મેં. ટન કાપડ, ૯૦ મેં. ટન જેટલું લાકડું અને ૬૦૮ મે. ટન જેટલો અન્ય કચરો મળીને કુલ ૯૪૫ મે. ટન થી વધારે કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. આ કચરાનો યોગ્ય નિકાલ થાય એ હેતુ થી રોજબરોજ ટ્રક, ટ્રેક્ટર, હિટાચી અને ત્નઝ્રમ્ જેવી યાંત્રિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી.

નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં બે ઈવી ચાર્જીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે જેના માટે વાર્ષિક ભાડુ જંત્રીના પ ટકા લેખે લેવામાં આવશે. આ ચાર્જીંગ સ્ટેશનમાં કાર ૪પ થી ૬૦ મીનીટ અને ટુ વ્હીલ દોઢ થી બે કલાકમાં ચાર્જ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.