JeM આતંકવાદી જૂથે બહાવલપુરમાં તેનું તાલીમ કેન્દ્ર જામિયા સુભાન અલ્લાહ બંધ કરી દીધું?

જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય હંમેશા માટે બંધ થઈ ગયું
પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય પણ સામેલ હતું
ઇસ્લામાબાદ, ભારતના હવાઈ હુમલા બાદ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું નેતળત્વ ગભરાઈ ગયું છે. આતંકવાદી જૂથે બહાવલપુરમાં તેનું મુખ્યાલય જામિયા સુભાન અલ્લાહઁ બંધ કરી દીધું છે. ભારતે મેની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર હેઠળ પંજાબ પ્રાંતના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેમાં તે નાશ પામ્યું હતું. ભારતીય હુમલા પછી તે ગૂગલ મેપ્સ પર કાયમ માટે બંધ દેખાઈ રહ્યું છે.
ભારતીય સશષા દળોએ ૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ૭ મેની વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. ભારતે કરેલા બદલામાં, પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક પણ સામેલ હતું. ભારતીય સરહદથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આ સ્થળે એક ચોક્કસ હુમલામાં અહીં હાજર જૈશ માળખાનો નાશ કરવામાં આવ્યો હતો.
ભારતની કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના ૧૦ લોકો અને તેના ખૂબ નજીકના ૪ લોકો માર્યા ગયા હતા. હુમલા પછીના સ્થળના ફોટા અને સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે આ સ્થળે ઘણું નુકસાન થયું છે. ઇમારતનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો અને તેની છતમાં મોટા ગાબડા દેખાતા હતા
આ સંકુલને જાહેર પ્રદર્શન માટે મસ્જિદ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું પરંતુ તે કથિત રીતે જૈશ-એ-મોહમ્મદ માટે તાલીમ કેન્દ્ર તરીકે સેવા આપતું હતું. આતંકવાદીઓની ભરતી અને ઓપરેશનલ પ્લાનિંગમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગૂગલ મેપ્સે હવે આ સ્થળને કાયમી ધોરણે બંધ તરીકે ચિホતિ કર્યું છે. આ ર્માકિંગ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે ચકાસાયેલસ્ત્રોતો લાંબા સમય સુધી નિષ્ક્રિયતા અને સ્થળને નુકસાનની જાણ કરે છે.