JNU ફરી વિવાદમાં: બાબરી મસ્જિદ બનાવવાની માંગણી થઇ
નવી દિલ્હી, ભારત વિરોધી સહિત તાકાતોને શરણ આપતી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં છે. અહીં ડાબેરીઓના વર્ચસ્વવાળા વિદ્યાર્થી યુનિયને ગઇકાલ તા. 6 ડીસેમ્બરે બાબરી મસ્જીદના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને અયોધ્યામાં મૂળસ્થળે બાબરી મસ્જીદ ફરી બનાવવાની માંગ થઇ હતી.
ગઇકાલે બાબરી ધ્વંસ દિવસ હતો અને તે સંદર્ભમાં અહીં છાત્ર સંગઠને એક સુત્રોચ્ચારનો કાર્યક્રમ કર્યો હતો જેમાં નહીં સહેંગે હાસીમપૂરા, નહીં કરેંગે દાદરી, ફીર બનાઓ બાબરી તેવા સૂત્રો પોકાર્યા હતા. જો કે તૂર્ત જ કેમ્પસમાં સંચાલકોએ તેમને રોક્યા હતા. આ પહેલા એક રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં અયોધ્યા બાબરી મસ્જીદ અંગે વિવાદાસ્પદ ઉચ્ચારણો પણ થયા હતા.