છેડતીના આરોપમાં જેએનયુના પ્રોફેસરને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર એક સીનિયર ફેકલ્ટીને બરતરફ કરી દીધા છે. યુનિવર્સિટીએ લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે.
જેએનયુના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કથિત ઘટના અમુક મહિના પહેલાં યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. યુનિવર્સિટીના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ કોઈ એક મામલો નથી, પ્રોફેસર સામે પહેલાં પણ અનેક ફરિયાદ મળી હતી.
યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રતયે તીરો-ટાલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહી કેમ્પસની સુરક્ષા અને જવાબદેહી પર યુનિવર્સિટીના મક્કમ વલણને દર્શાવે છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાઉન્સેલિંગે લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. જે યુનિવર્સિટીની સર્વાેચ્ચ વૈધાનિક સંસ્થા છે.
તપાસમાં જાણવા મળ્યું કે, જાપાની દૂતાવાસમાં કામ કરતી પીડિતા સાથે યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટી મેમ્બર દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તયારબાદ તે જાપાન જતી રહી અને આ મામલે ઔપચારિક ફરિયાદ નોંધાવી.
રાજદ્વારીઓ દ્વારા આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવી હતી. તયારબાદ તેને વિદેશ મંત્રાલય અને યુનિવર્સિટીને મોકલવામાં આવ્યું.SS1MS