કમલ હસનની ‘ઠગ લાઇફ’માં તગડો નફો લેવાની ઈચ્છા

કમલ હસન અને મણિ રત્નમે ૩૮ વર્ષ પહેલાં ‘નાયકન’માં સાથે કામ કર્યું હતું
થિએટરમાં રિલીઝ પહેલાં જ ફિલ્મના બજેટનું વળતર મળી ગયું છે, છતાં રિલીઝ માટે મોટું લક્ષ્ય
મુંબઈ,કમલ હસન અને મણિ રત્નમે ૩૮ વર્ષ પહેલાં ‘નાયકન’માં સાથે કામ કર્યું હતું, હવે તેમણે ફરી સાથે કામ કર્યું છે, તેમની ‘ઠગ લાઇફ’ ૫ જૂને રિલીઝ થઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૪થી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મનું શૂટ ૧૦૦ દિવસથી પણ વધુ દિવસ સુધી ચાલ્યું છે અને આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મમાંની એક છે. આ ફિલ્મમાં કમલ હસન અને ત્રિશા ક્રિશ્નન મહત્વના રોલમાં છે. બે દિવસમાં આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થવા જઈ રહી છે.કેટલાંક ટ્રેડ એક્પર્ટના મતે ‘ઠગ લાઇફ’ ૧૮૦ કરોડના બજેટમાં બનેલી છે, તેમજ વધારાના ૨૦ કરોડ પ્રિન્ટ અને પબ્લિસિટી માટે ખર્ચવામાં આવ્યા છે.
આમ આ ફિલ્મ પાછળ કુલ ૨૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જોકે, આ ખર્ચમાં ફિલ્મની કાસ્ટની ફીનો સમાવેશ થતો નથી. જોકે, ફિલ્મના લીડ એક્ટર કમલ હસન આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. તેથી ફિલ્મના કુલ નફામાંથી તેમને સિંહફાળો મળશે. જો ફિલ્મની થિએટર રિલીઝ સિવાયની કમાણીની વાત કરવામાં આવે તો, ‘ઠગ લાઇફ’ના ડિજીટલ રાઇટ્સ નેટફ્લિક્સને ખુબ તગડી કિંમતે વેંચ્યા છે, કારણ કે આ પહેલાં પણ મણિ રત્નમ અને કમલ હસને ‘પીએસ૧’ અને ‘વિક્રમ’ની સફળતા માણી છે. તેથી હવે તેમની આ ફિલ્મને ૧૩૦ કરોડની કમાણી થઈ છે, જે અત્યાર સુધીમાં કોઈ તમિલ ફિલ્મને મળેલી સૌથી સારી ડીલ માનવામાં આવે છે. જ્યારે આ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ ૬૦ કરોડમાં વેંચાયા છે, જ્યારે ફિલ્મનું સંગીતના અધિકારો ૨૦ કરોડમાં વેંચવામાં આવ્યા છે. આમ આ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેને વિવિધ માધ્યમોમાંથી ૨૧૦ કરોડની આવક થઈ ચૂકી છે, જ્યારે રોકાણ ૨૦૦ કરોડનું હતું.
આમ ૧૦ કરોડનો નફો તો પહેલાં જ થઈ ચૂક્યો છે. છતાં હજુ હજુ આવક અને ખર્ચમાં મણિ રત્નમ અને કમલ હસનની ફી ગણવામાં આવી નથી, તેનો મોટા બાગનો આધાર ફિલ્મ થિએટરમાં કેવી ચાલે છે, તેના પર છે. જો તેમની ફીની વાત કરવામાં આવે તો તેમનું બંનેનું વળતર મળીને લગભગ ૧૧૦ કરોડ જેટલી રકમ થાય છે. તેનો અર્થ એવો થાય છે કે, થિએટર રિલીઝમાંથી ૧૧૦ કરોડની આવક તો થવી જ જોઈએ, તેના ઉપર પણ કેટલોક નફો થવો જોઈએ, તો ફિલ્મ સાથે સંકળાયેલાં દરેકને નફો થઈ શકે.SS1