કંગના રનૌતને વર્ષો પહેલા ફિલ્મ નકારવા માટે મળી હતી ધમકી

મુંબઈ, કંગના રનૌતે વર્ષ ૨૦૦૬ માં અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગેંગસ્ટર’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીના ૧૯ વર્ષના કરિયરમાં, તેણીએ ૩૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘ફેશન’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ક્વીન’, ‘મણિકર્ણિકા’ અને ‘થલાઈવી’નો સમાવેશ થાય છે.
જો કે, તેમના ફિલ્મી કરિયર દરમિયાન, તેમણે ઘણી મોટી ફિલ્મોને પણ નકારી કાઢી છે, જેણે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો દેખાવ કર્યાે હતો. આવી જ એક ફિલ્મ ૯ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.અહીં આપણે સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ વિશે વાત કરી રહ્યા છીએ જે ૨૦૧૬ માં રિલીઝ થઈ હતી, જેમાં અનુષ્કા શર્મા જોવા મળી હતી. આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી હતી.
જેણે ૯૦ કરોડ રૂપિયાના બજેટમાં ૬૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી. આદિત્ય ચોપરાએ પોતાની દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ થી કરી હતી, જે હિન્દી સિનેમામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. ભલે તે પોતે લાઈમલાઈટથી દૂર રહે છે, તેમણે ‘મોહબ્બતેં’, ‘વીર-ઝારા’, ‘ધૂમ‘ અને ‘પઠાણ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે.
આ ફિલ્મો દ્વારા તેમણે ઘણા સ્ટાર્સના કરિયરને વેગ આપ્યો અને યશ રાજ બેનરને વધુ મજબૂત બનાવ્યું. આદિત્ય ચોપરાને ફિલ્મ ઉદ્યોગના સૌથી વ્યાવસાયિક લોકોમાંના એક ગણવામાં આવે છે. તે ખૂબ જ ખાનગી જીવન જીવે છે અને મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ તેમ છતાં, તે કેટલાક વિવાદોને કારણે સમાચારમાં રહ્યો છે.
કંગના સાથે જ્યારે તેમનો ઝઘડો થયો ત્યારે તેઓ સૌથી વધુ ચર્ચામાં આવ્યા. બંને વચ્ચેનો આ વિવાદ તે સમયે ઘણી હેડલાઇન્સ બન્યો હતો અને આજે પણ તે હેડલાઇન્સ બનાવી રહ્યો છે.જ્યારે કંગના રનૌતે એક ચેનલ સાથેના સવાલ જવાબમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ સામે અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે એક દિગ્દર્શક તેમના ઘરે એક ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવા આવ્યા હતા.
બાદમાં જ્યારે તેણીએ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યાે, ત્યારે તે આદિત્ય ચોપરાને મળવા ગઈ અને માફી પણ માંગી. શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું, પરંતુ જ્યારે સમાચાર ફેલાઈ ગયા કે કંગનાએ ‘સુલતાન’ ફિલ્મને નકારી કાઢી છે, ત્યારે આદિત્યએ ગુસ્સામાં તેને મેસેજ કર્યાે અને પૂછ્યું કે તેની હિંમત કેવી રીતે થઈ?.
જો આણે આદિત્ય ચોપરાના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે ૨૦૧૪માં રાની મુખર્જી સાથે ઇટાલીમાં એક ખાનગી સમારંભમાં પરંપરાગત બંગાળી રીતરિવાજો સાથે લગ્ન કર્યા હતા.
૨૦૧૫માં, તેમને એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ આદિરા છે. રાનીએ યશ રાજની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૦૦૯માં જ્યારે આદિત્યએ તેની પહેલી પત્ની પાયલ ખન્નાથી છૂટાછેડા લીધા, ત્યારે રાની કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી.SS1MS