Western Times News

Gujarati News

નરેશ પટેલના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સ્થળ પર રક્તદાન કેમ્પ યોજાશે

Khodaldham Naresh Patel

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે અમરેલી જિલ્લામાં જુદા-જુદા સ્થળે વિવિધ ખોડલધામ સમિતિઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. ૧૧-જુલાઇ ને સોમવારના રોજ અમરેલીમાં હિરામોતી ચોક, પટેલવાડી ખાતે, ચલાલામાં ખોડીયાર કોમ્પ્લેક્ષ ખાતે, રાજુલામાં પટેલ સમાજવાડી ખાતે, બાબરામાં વી.એન. ગેલાણી હાઇસ્કૂલ-બાબરા ખાતે, સાવરકુંડલામાં યોગેશ્વર ડાયમંડ, નેસડી રોડ-સાવરકુંડલા ખાતે તથા લાઠીમાં તાલુકાના શેખપીપરીયા ગામે રક્તદાન કેમ્પ યોજાનાર છે.

જ્યારે વડિયામાં તા. ૧૦-જુલાઇને રવિવારના રોજ પટેલવાડી, કૃષ્ણપરા-વડિયા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત દરેક જગ્યાએ યોજાનાર કેમ્પનો પ્રારંભ સવારે ૮ કલાકથી થઇ જશે અને બપોરે ૧ર કલાકે કેમ્પ પૂર્ણ થશે. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કરશે.

આ કેમ્પમાં વધુમાં વધુ લોકોને હાજર રહી રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ની ઉક્તિને સાર્થક કરવા ખોડલધામ સમિતીઓ દ્વારા અનુરોધ કરાયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.