ઉત્તરાયણનાં તહેવાર પર્વ નિમિત્તે જાહેરમાર્ગો ઉપર પતંગ ઉડાવી શકાશે નહી
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરનું જાહેરનામું -જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહી
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને તા.૧૦/૦૧/૨૦૨૫થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર કોઇપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહી કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહી જે અંગેનો પ્રતિબંધ ફરમાવુ છું.
હું, શરદ સિંઘલ, IPS, ઇ/ચા.પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧)(બી), ૧૧૩ અંતર્ગત મળેલી સત્તાની રૂએ આગામી ઉત્તરાયણનાં તહેવાર અનુસંધાને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને માર્ગ અકસ્માતો થતા નિવારવા સારુ નીચે મુજબનો હુકમ જારી કરૂ છું.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૦/૦૧/૨૦૨૫થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.