Western Times News

Gujarati News

કુકરવાડા નાગરિક સહકારી બેંકના નૂતન ભવનનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં કુકરવાડા નાગરિક સહકારી બેંકની મેમ્કો શાખાના નવીન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. Kukarwada nagrik sahakari bank Ahmedabad

કુકરવાડા નાગરિક સહકારી બેંકની ૧૦મી શાખાનું મેમ્કો ખાતે બનાવવામાં આવેલા નવીન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કુકરવાડા નાગરિક સહકારી બેંકની મેમ્કો બ્રાન્ચ અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત હતી. બેંકની પોતાની માલિકીના ભવનનું ઉદ્ઘાટન કરતા થતા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે બેંકના ચેરમેનશ્રીને શુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે સંસદસભ્ય સર્વ શ્રી હસમુખભાઈ પટેલ અને  હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સી. જે. ચાવડા અને સુશ્રી કંચનબહેન રાદડિયા, કુકરવાડા નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી કિર્તીભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પટેલ, એમડી શ્રી કિર્તીભાઈ જે. પટેલ, ડિરેક્ટર શ્રી મહાદેવભાઇ દેસાઈ  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.