ખ્યાતિકાંડઃ ડો.પ્રશાંતનું લાઈસન્સ રદ ગુજરાત મેડિકલ કાઉન્સીલે રદ કર્યુઃ સામે નેશનલ મેડિકલ કમીશનનો સ્ટે

નેશનલ મેડિકલ કમિશન કેમ ગુજરાત મેડિકલ કાઉન્સીલના નિર્ણયથી સંતુષ્ટ નથી
ગુજરાત મેડીકલ કાઉન્સીલે ડોકટરનું લાઈસન્સ ૩ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો-
(એજન્સી)અમદાવાદ, ખ્યાતિકાંડમાં સંડોવાયેલા ડો.પ્રશાંત વજીરાણીનું લાઈસન્સ ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કાઉન્સીલન આ નિર્ણય સામે નેશનલ મેડીકલ કમીશનમાં અપીલ કરતાં તાજેતરમાં નેશનલ કમીશન દ્વારા ગુજરાત મેડીકલ કાઉન્સલના લાઈસન્સ રદ કરવાના ઓર્ડર સામે સ્ટે આપી દેવામાં આવ્યો છે.
રાજયમાં બહુચર્ચીત ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા વિવાદાસ્પદ ડોકટર પ્રશાંત વજીરાણી હાલમાં જેલમાં છે. સમગ્ર વિવાદ બહાર આવ્યા બાદ તાકીદે ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા પગલાં લઈને આ ડોકટરનું લાઈસન્સ આગામી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો.
ડોકટર દ્વારા મેડીકલ કાઉન્સીલ દ્વારા કરાયેલા નિર્ણયની સામે નેશનલ મેડીકલ કમીશનમાં અપીલ કરવામાં આવી હતી. તાજેતરમાં કમીશન દ્વારા ગુજરાત મેડીકલ કાઉન્સીલે ત્રણ વર્ષ માટે લાઈસન્સ રદ કરવાના આપેલા નિર્ણય સામે સ્ટે આપી દીધો હતો. એટલે કે હાલ પુરતું આ વિવાદસ્પદ રદ થતું અટકાવી દેવા આવશે. કમીશનના આ નિર્ણયના કારણે હાલમાં મેડીકલ આલમમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ-જેએવાય યોજનામાં કરાયેલા ફ્રોડના મુદે આ ડોકટરરની ધરપકડ કરીને હાલમાં જેલના હવાલે કરવામાં આવ્યા છે. આમ હાલમાં આ ડોકટર જેલમાં હોવા છતાં એનએમસી દ્વારા તેમનું લાઈસન્સ રદ કરવા સામે સ્ટે આપી દીધો છે.
મેડીકલ તજજ્ઞો કહે છેકે કમીશન દ્વારા અપાયેલા સ્ટે ઓર્ડરમાં કોઈ અસરકારક કારણો આપવામાં આવ્યા નથી, માત્ર નાગપુરના એક ચુકાદાને ટાંકવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોકટર દ્વારા કરાયેલી અપીલ અધુરી હોવાનો નિર્દેશ પણ કમીશન દ્વારા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આગામી દીવસમાં રપમી એપ્રિલના વધુ એક મીટીગ બોલાવીને તેમાં આગળનો નિર્ણય કરવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલા નિર્ણયને મેડીકલ કમીશન દ્વારા જ રદ કરવા અથવા તો અટકાવવાના કારણે મેડીકલ વર્તુળોમાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.