મધ્ય વેનેઝુએલામાં ભૂસ્ખલનથી ૨૨ લોકોના મોત
વેનેજુએલા, વેનેજુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજે કહ્યું કે ભારે વરસાદના કારણે મધ્ય વેનેજુએલામાં પાંચ નાની નદીઓમાં પૂર આવી ગયું છે. રોડ્રિગેજે ટેલીવિઝન પર પ્રસારિત પોતાના સંબોધનમાં કહ્યું કે શનિવારની રાતે વરસાદે પહાડો પરથી વૃક્ષોના મોટા થડ અને કાટમાળને વહાવી દીધા, જેના કારણે વ્યવસાયો અને ખેતરોને નુકસાન પહોંચ્યું.
રોડ્રિગેજે કહ્યું કે સમગ્ર શહેરમાં હજુ પણ કાદવ અને પહાડોની નીચે ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જ્યારે સેના અને બચાવ કર્મીઓએ પણ બચી ગયેલા લોકો માટે નદીના કિનારે તપાસ હાથ ધરી હતી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેજેરિયાસ શહેરમાં જે થયું તે એક ત્રાસદી છે.
દેશની નાગરિક સુરક્ષા પ્રણાલીના ઉપ મંત્રી કાર્લોસ પેરેજે રવિવારે એક ટ્વીટમાં કહ્યું કે એક હજાર બચાવ દળ વિસ્તારમાં પીડિતોને શોધી રહ્યા હતા.
રોડ્રેગેજે કહ્યું કે વરસાદના કારણે રવિવારની સવારે ત્રણ અન્ય કેન્દ્રીય રાજ્યોમાં પણ ભૂસ્ખલન થયું, પણ કોઈ જાનહાની થયાનો દાવો નથી કર્યો. હાલના સપ્તાહોમાં લા નીના પૈટર્નના કારણે થયેલા ભારે વરસાદના કારણે મૃત્યુઆંક ઓછામાં ઓછો ૪૦ થઈ ગયો છે. વેનેજુએલાને પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે.HS1MS