આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમા વ્યાખ્યાન યોજાયું
(પ્રતિનિધિ)વાપી, વાપી સ્થિત આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના એજ્યુકેશન અને સાયકોલોજી વિભાગના ભૂતપૂર્વ ડીન ડૉ. રમેશચંદ્ર જી.કોઠારીનું વ્યાખ્યાન યોજાયું. આદરણીય કોઠારી સાહેબે બાળકો અને શિક્ષણ સંદર્ભે મનનીય પ્રવચન રજુ કર્યું હતું.તેમણે શાળા કક્ષાએ બાળકોને સર્જનાત્મક શિક્ષણ કઈ રીતે આપવું તેનું સરસ માગૅદશૅન પુરું પાડ્યું.
આજ કાર્યક્રમમાં વાપીની ઉપાસના હાઈસ્કૂલનાં આચાર્ય શ્રી શર્મા સાહેબ અને ગુજરાતી વિષયના શિક્ષક શ્રી મહેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી મહેશભાઈએ “દિકરી વ્હાલનો દરિયો” વિશે પોતાની સરળ ભાષા શૈલીમાં રજૂઆત દ્વારા તાલીમાર્થીઓને ભાવવિભોર કરી દીધાં હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના આચાર્ય ડો.પ્રીતિબેન જે.ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ.શીતલ આર.ગાંધી તથા બી.સી.એ. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. મિત્તલ શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમ માટે સંસ્થાના ચેરમેન શ્રી મિલન ભાઈ દેસાઈએ શુભેચ્છા પાઠવી હતી.