Western Times News

Gujarati News

વિમાનમાં બોંબની અફવા ફેલાવનારને આજીવન કારાવાસની સજાની વિચારણા

નવી દિલ્હી, દેશમાં સમયાંતરે વિમાનમાં બોંબ હોવાની ધમકી મળતી રહે છે. આ પ્રકારની ધમકીને કારણે એરપોર્ટ ઓથોરિટીને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે. અનેક વાર ફ્લાઇટ્‌સની ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને ચેકિંગ થાય છે, તો ક્યારેક ફ્લાઇટ્‌સના ટેકઓફ પહેલા જ કલાકો સુધી તપાસ થાય છે.

હવે બોંબની ધમકી જેવા મામલામાં કેન્દ્ર સરકારે આકરુ વલણ અપનાવ્યું છે. સોમવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે અફવા ફેલાવતા લોકો સામે આકરી કાર્યવાહી કરવા અંગે વિચારણા કરાઈ રહી છે. આ પ્રકારના મામલાને નોંધપાત્ર ગુનો ગણવામાં આવે.

આ ઉપરાંત, આ પ્રકારની ધમકી આપનારને નો-ફ્લાય લિસ્ટમાં મુકવામાં આવે, એટલે કે તેમના પર ઉડાણ ભરવા પર હંમેશા પ્રતિબંધ મુકવામાં આવે.આ સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડનય મંત્રીએ એમ પણ કહ્યું કે, એક કાયદો બનાવવો જોઈએ, જેમાં અફવા ફેલાવતા લોકોને આજીવન કેદની સજા જોગવાઈ કરવામાં આવે. કેમ કે આ પ્રકારના બોગસ કોલથી ગંભીર સ્થિતિ પેદા થાય છે.

સમગ્ર વહીવટીતંત્ર પરેશાન થાય છે અને યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા એક સપ્તાહની અંદર જ આવા ૧૦૦ કોલ આવ્યા છે, જેનાથી પરેશાન પેદા થાય છે. જ્યારે આપણે બોગસ કોલની વાત કરીએ છીએ, તો આપણે આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન કરવું જોઈએ.

એટલા માટે કોઈ પણ ધમકીની સંપૂર્ણ તપાસ કરવી પડે છે. એમાં સમય લાગે છે અને સંપૂર્ણ પ્રોટોકોલને અનુસરવું પડે છે. ઉડ્ડયન મંત્રી એમ પણ કહ્યું કે અમે સિક્યોરિટી કેમેરાઓની સંખ્યા પણ વધારી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.