મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઠાકરે સરકારના 6 નિર્ણયો પર રોક લગાવી
મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું પગલું -ઉદ્ધવ ઠાકરે સરકારના ૬ મોટા ર્નિણયો પલટાવ્યા-સરકારે મહિનાની શરૂઆતમાં ૧૦૦ દિવસ પૂરા કર્યા
મુંબઈ, મહારાષ્ટ્રની એકનાથ શિંદે-ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સરકારે આરે મેટ્રો કાર શેડના ટ્રાન્સફર અને રાજ્યમાં કેસોની તપાસ માટે સામાન્ય મંજૂરી સાથે તેણે અગાઉની મહા વિકાસ અઘાડી (સ્ફછ) સરકારના ઓછામાં ઓછા અડધો ડઝન ર્નિણયો પર રોક લગાવી છે અથવા તેને પલટાવ્યા છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) પર રાજ્ય સરકારનો તાજેતરનો ર્નિણય મહત્વનો છે કારણ કે અગાઉની શિવસેનાની આગેવાની હેઠળની એમવીએ સરકારે તપાસ એજન્સીને આપેલી સામાન્ય મંજૂરી પાછી ખેંચી લીધી હતી, એમ કહીને તેનો રાજકીય લાભ અને નુકસાન માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો.
વર્તમાન શિંદે સરકારે આ મહિનાની શરૂઆતમાં સત્તામાં ૧૦૦ દિવસ પૂરા કર્યા છે. એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો અને પાર્ટીના ૫૫માંથી ૪૪ ધારાસભ્યો સાથે અલગ જૂથ બનાવ્યા પછી સ્ફછ સરકાર પડી અને વર્તમાન સરકાર અસ્તિત્વમાં આવી.
આ વર્ષે જૂનમાં એકનાથ શિંદેએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા. નવેમ્બર ૨૦૧૯ માં સત્તામાં આવ્યા પછી, શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ) ની સ્ફછ સરકારે અગાઉની ભાજપ-શિવસેના સરકારના કેટલાક નીતિગત ર્નિણયોને ઉથલાવી દીધા. ભાજપ-શિવસેના સરકારના નેતા દેવેન્દ્ર ફડણવીસ હતા.
શિંદે સરકારે ૨૦૧૪-૨૦૧૯ દરમિયાન ફડણવીસ સરકાર દ્વારા લેવામાં આવેલા ચાર નીતિવિષયક ર્નિણયોને પાછો ખેંચવાનો ર્નિણય કર્યો હતો પરંતુ બાદમાં સ્ફછ સરકાર દ્વારા તેને રદ કરવામાં આવ્યો હતો. આ ર્નિણયોમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટિના બજારોમાં ખેડૂતોની મતાધિકારની પુનઃસ્થાપના, કટોકટી દરમિયાન જેલમાં બંધ
થયેલા લોકો માટે પેન્શન ફરી શરૂ કરવું, લોકોમાંથી ગામડાના વડાઓ અને કોર્પોરેશન કાઉન્સિલના પ્રમુખોની ચૂંટણીનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ એન્ડ માર્કેટિંગ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૬૩માં, ગ્રામ પંચાયતો, કૃષિ ધિરાણ મંડળીઓ અને બહુહેતુક મંડળીઓના સભ્યોને જ સમિતિના સભ્યોની પસંદગી કરવાની છૂટ હતી, પરંતુ ઓગસ્ટ ૨૦૧૭માં ભાજપ-શિવસેના સરકારે તે કાયદામાં સુધારો કર્યો. ખેડૂતોને પણ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો. જાન્યુઆરી ૨૦૨૦ માં સ્ફછ સરકાર દ્વારા તે રદ કરવામાં આવ્યું હતું.
શિંદે સરકારે કટોકટી દરમિયાન જેલમાં બંધ રાજકીય કાર્યકરોનું પેન્શન પણ પુનઃસ્થાપિત કર્યું છે. આ ર્નિણય ફડણવીસ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ માં પ્રથમ વખત લેવામાં આવ્યો હતો, જેને સરકારે ૨૦૨૦ માં ઉલટાવી દીધો હતો અને દાવો કર્યો હતો કે મોટાભાગના લાભાર્થીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો છે.