Western Times News

Gujarati News

મણિ રત્નમે હવે દીપિકા અને સંદીપ વાંગા વચ્ચેના વિવાદમાં ઝંપલાવ્યું છે

દીપિકા પાદુકોણ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેની ટક્કર ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામા છે

દીપિકાના સમર્થનમાં મણિ રત્નમ, તેની માગણી યોગ્ય છે

મુંબઈ,દીપિકા પાદુકોણ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેની ટક્કર ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે, ત્યારે હવે લિજેન્ડ્રી ફિલ્મ મેકર મણિ રત્નમે પણ જીવનમાં વર્ક લાઇ બેલેન્સનું મહત્વ સમજીને દીપિકાની આઠ કલાક કામ કરવાની માગણીને વ્યાજબી ઠેરવી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મણિ રત્નમે નવી માતાઓ સાથે કામ કરવાના પડકારો વિશે વાત કરી હતી. મણિ રત્નમે કહ્યું,“એ એક યુવાન માતા છે અને પોતાના બાળકની સંભાળ લેવા માગે છે, તો ઠીક જ છે. તેણે એક એવો વિકલ્પ પસંદ કર્યાે છે, જેમાં તે કોઈ અડચણ વિના પોતાનું કામ પણ કરી શકે છે.”આટલું જ નહીં મણિ રત્નમે દીપિકાના વખાણ પણ કર્યા હતા, તેમણે કહ્યું,“મને લાગે છે કે મહિલાઓને જે જોઈએ તે માગી લે અને તેમને જે જોઈએ તે મળી જાય એ સારી બાબત છે.

એ એક સારો સંકેત છે.”એત કરફ સાઉથના જ એક ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા દીપિકાના જાહેરમાં અનપ્રોફેશનલ કહીને તેના પર ફિલ્મની વાર્તા લીક કરવાનો આક્ષેપ કરે છે. ત્યારે દીપિકાએ હજુ સુધી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, માત્ર સુત્રો દ્વારા એવી ચર્ચા છે કે, દીપિકાએ વાંગા પાસે માત્ર આઠ જ કલાક કામ કરશે, જેથી તે દિકરી સાથે સમય વિતાવી શકે અને જો એથી વધુ કામ કરવું પડે તો વધારાના વળતરની માગણી કરી હતી.એવા પણ અહેવાલો હતા કે દીપિકાની આ માગણીને કારણે વાંગાએ દીપિકાના રોલમાં તેની એનિમલની એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીને સાઇન કરી લીધી.દીપિકા માતા બન્યાં પહેલાં અને પછી હંમેશા પરિવારને પ્રાથમિક આપવા બાબતે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરતી રહી છે. આ સ્થિતિમાં ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેના સપોર્ટમાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીએ આ પ્રકારની વિનંતિઓ સક્રિયપણે ધ્યાનમાં લાવી જોઈએ કે નહીં તે બાબતે મણિ રત્નમે જણાવ્યું,“મને તો લાગે છે, કે લેવી જોઈએ.”

મણિ રત્નમ આ મુદ્દે માત્ર ચર્ચા કરીને અટક્યા નહીં પરંતુ તેમણે આ સ્થિતિનું નિરાકરણ લાવવાની પણ કોશિશ કરી. તેમણે કહ્યું,“જો તમારી ફિલ્મને આવું અનુકૂળ ન આવતું હોય, તો આગળ વધો. પરંતુ તેમની માગણીઓ માટે તેમનું માન તો જાળવવું જ જોઈએ. તેમની માગણીઓ ઘણી વ્યાજબી છે, તે બિલકુલ જરૂરી છે, તેથી આપણે એ ધ્યાનમાં લેવું જ જોઈએ અને સમજવું જોઈએ કે તેની સાથે કેવી રીતે કામ લઈ શકીશું.”આ જ રીતે તાજેતરમાં સૈફ અલી ખાને પણ અરબ મીડિયા સમિટ ૨૦૨૫માં સુર પુરાવ્યો હતો. તેણે કહેલું, “મને ઘેર પહોંચું એ પહેલાં જ બાળકો સૂઈ ગયાં હોય એ જોવું બિલકુલ ગમતું નથી. એ તમારી સફળતા નથી. સફળતા એને કહેવાય કે, તમે કહી શકો કે તેમની સાથે અડધી કલાક વિતાવવા માટે મારે હવે ઘેર જવુ પડશે.”

આ જ રીતે અજય દેવગન અને કાજોલે પણ આ વાતમાં સુર પુરાવ્યો હતો, તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અજય દેવગન અને કાજોલ બંનેએ આઠ કલાકની શિફ્ટની તરફેણ કરી હતી. હવે તેમાં મણિરત્નમની તરફેણથી એવા સંકેત મળે છે કે, એક વખત તો જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જૂનુન સાથે દિવસ-રાત કામ ચાલ્યા કરતું હતું. તેમાં હવે પરિવારને સમય આપવા અને પોતાના માટે સમય ફાળવવા માટે વ્યાજબી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. પ્રોફેશનલ કામો જાળવી રાખવા સાથે વ્યક્તિગત આરોગ્ય અને ખાસ કરીને નવા બનેલા માતા-પિતા માટે આ મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.