Western Times News

Gujarati News

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ

મુંબઈ, સ્વિટ્‌ઝર્લેન્ડમાં બરફાચ્છાદિત બિએત્શહોર્ન પર્વતો વચ્ચે લોત્શેન્ટલ ખીણમાં બ્લેટેન નામનું સુંદર ગામ આવેલું હતું, પરંતુ બુધવારે હિમાચ્છાદિત પર્વત પરથી ગ્લેશિયરનો એક વિશાળ ભાગ તૂટી પડતાં બ્લેટેન ગામ બરફ, કિચડ અને ખડકાળ પથ્થરોના કાટમાળમાં દટાઈ ગયું.

જોકે, આ દુર્ઘટના પહેલાં જ અહીં વસતા ૩૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા, પરંતુ ગ્લેશિયર તૂટી પડવાની ઘટનાએ ફરી એક વખત માનવ સર્જિત ગ્લોબલ વો‹મગ એટલે કે જળવાયુ પરિવર્તનના કારણે આવતી વિનાશક કુદરતી આફતો તરફ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સાયન્સ સામયિકમાં પ્રકાશિત એક નવા સંશોધન મુજબ વૈશ્વિક તાપમાન પૂર્વ ઔદ્યોગિક સ્તરની સરખામણીમાં ૨.૭ ડિગ્રી સે. સુધી વધી જશે તો ગ્લેશિયરનો ૭૫ ટકા બરફ પીગળી જશે.

એવામાં તાપમાનમાં વધારાને ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખીને ૫૪ ટકા ગ્લેશિયરને સુરક્ષિત રાખી શકાશે.આ સંશોધન મુજબ હિન્દુ કુશ હિમાલયમાં સદીના અંત સુધીમાં ૭૫ ટકા બરફ પીગળી શકે છે. વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રીથી વધુ વધતું રહેશે તો ૨૦૦ કરોડ લોકોને પાણી આપતી નદીઓનો સ્રોત ખોરવાઈ જશે.

જળવાયુ પરિવર્તન અંગે દુનિયાની વર્તમાન નીતિઓ યથાવત રહેશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં દુનિયાનું તાપમાન ૨.૭ ડિગ્રી સે. સુધી વધી શકે છે.

હિન્દુ કુશ હિમાલયને દુનિયાનો ત્રીજો ધૂÙવ કહેવાય છે, કારણ કે અહીં એન્ટાર્કટિકા અને આર્કટિક પછી બરફનો સૌથી વધુ ભંડાર છે. આ ક્ષેત્ર ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સિંધુ, કાબુલ જેવી દુનિયાની ૧૦ મુખ્ય નદીઓનો પાણીનો સ્રોત છે.

આ નદીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને ચીન જેવા દેશો માટે જીવન રેખા છે. બરફ પીગળવાથી આ દેશોમાં પાણી, ખેતી અને ઊર્જા પર સંકટ આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.