પૂંછમાં મિની બસને અકસ્માત, ૧૧ લોકોના કરૂણ મોત સંખ્યાબંધ લોકો ઘાયલ
પૂંછ, જમ્મુ-કાશ્મીરના પૂંચમાં બુધવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. પૂંચના સાવજન વિસ્તારમાં એક મિની બસ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. તેમજ અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પૂંછના માર્ગ અકસ્માત મામલે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, તેમણે જણાવ્યું કે પુંછના સાવજિયામાં માર્ગ અકસ્માતના અહેવાલથી હું ઘણો દુખી છું, શોકમગ્ન પરિવારો પ્રતિ મારી સંવેદના છે, અને ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાથના કરૂ છું.
પોલીસ અને સિવિલ અધિકારીઓને ઘાયલોને તમામ પ્રકારી સારવાર પૂરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃતકોના પરિજનનો પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.HS1MS