મુકુલ રોહતગી હશે ભારતના ૧૪માં એટર્ની જનરલ
નવીદિલ્હી, કેકે વેણુગોપાલનું પદ ખાલી થયા બાદ વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને ભારતના ચૌદમા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવશે. જૂન ૨૦૧૪ અને જૂન ૨૦૧૭ વચ્ચેના તેમના પ્રથમ કાર્યકાળ પછી એજી તરીકે રોહતગીનો આ બીજાે કાર્યકાળ હશે.
વેણુગોપાલે હાલમાં જ સુપ્રીમ કોર્ટને સંકેત આપ્યો હતો કે તેઓ ૩૦ સપ્ટેમ્બર પછી પદ સંભાળશે નહીં. આ વર્ષના જૂનના અંતમાં, એજી વેણુગોપાલનો કાર્યકાળ ત્રણ મહિના અથવા “આગળના આદેશો સુધી” લંબાવવામાં આવ્યો હતો. આ એક્સટેન્શન ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાનું છે.
વેણુગોપાલને ૧ જુલાઈ, ૨૦૧૭ ના રોજ ત્રણ વર્ષની મુદત માટે એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે પાછળથી બે વાર એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું.HS1MS