ટ્રેનના ૪ ડબ્બામાં આગઃ સદનસીબે મોટી જાનહાનિ ટળી
મહારાષ્ટ્રમાં ન્યૂ આષ્ટીથી અહમદનગર જઈ રહેલી લોકલ ટ્રેનમાં ઘટના બની
મુંબઈ, મહારાષ્ટ્રમાં લોકલ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ન્યૂ આષ્ટીથી અહમદનગર જઈ રહેલી લોકલ ટ્રેનમાં બની છે, જ્યાં ૫ કોચમાં આગ લાગી છે. આ ઘટના બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. Mumbai local train’s wheel caught fire near Asangaon railway stn.
આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ૪ કોચ સંપૂર્ણ આગની ઝપેટમાં આવી ગયાનું જાેવા મળી રહ્યું છે.
Mumbai local train’s wheel caught fire today mrng nr Asangaonrailway stn. After noticing d fire,passengers started panicking & jumped dwn frm d train.d wheels of d train caught fire due to friction in d brakes.d entire incident created chaos on tracks near d Asangaon railway stn. pic.twitter.com/4RWOZfLTg1
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) February 16, 2023
લોકલ ટ્રેનમાં સૌથી પહેલા ગાર્ડ-સાઈડ બ્રેક વાનમાં આગ લાગી, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૪ કોચમાં પણ આગ લાગી ગઈ. જાેકે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી. ઘટનામાં એકપણ મુસાફરને ઈજા થઈ નથી. મુસાફરો કોચમાંથી તુરંત બહાર નિકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ, પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. રેલવે અધિકારીઓ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણો તપાસ કરવામાં આવી રહી છે.